Sunday, 01/06/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં વાવાઝોડું આફત રૂપ બન્યું: 24 મકાનો ક્ષતિગ્રસ્ત.. સરકારી અનાજ ગોડાઉન તેમજ રેલવે ક્વાર્ટસના પતરાં ઉડ્યા…

May 23, 2025
        6345
દાહોદ જિલ્લામાં વાવાઝોડું આફત રૂપ બન્યું: 24 મકાનો ક્ષતિગ્રસ્ત..  સરકારી અનાજ ગોડાઉન તેમજ રેલવે ક્વાર્ટસના પતરાં ઉડ્યા…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં વાવાઝોડું આફત રૂપ બન્યું: 24 મકાનો ક્ષતિગ્રસ્ત..

સરકારી અનાજ ગોડાઉન તેમજ રેલવે ક્વાર્ટસના પતરાં ઉડ્યા…

 સરકારી અનાજ ગોડાઉનમાં અંદાજે સાત લાખ રૂપિયાનું નુકસાન..

દાહોદ તા. 22

દાહોદ જિલ્લામાં વાવાઝોડું આફત રૂપ બન્યું: 24 મકાનો ક્ષતિગ્રસ્ત.. સરકારી અનાજ ગોડાઉન તેમજ રેલવે ક્વાર્ટસના પતરાં ઉડ્યા...

 દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલે સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર ના પગલે વાતાવરણ બદલાયો હતો.ઢળતી સાંજે ગાજવીજ સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના લીધે ઠેર ઠેર વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કુદરતી આફતમાં તો કોઈ લાચાર જોવા મળ્યા હતા. સરકારી સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કેટલાક સ્થળે ઝાડ પડી જતા માર્ગ અવરોધીત થયા હતા. તો સંખ્યાબંધ મકાનોને નુકસાન છતાં માલમતા નું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને સરકારી અનાજ ગોડાઉનના પતરા ઉડી ગયા હતા.જોકે પુરવઠા વિભાગે ગત વાવાઝોડામાં જ અનાજનો સંગ્રહ હટાવી લીધો હતો. જેના પગલે સરકારી અનાજ પલળતા બચી ગયો હતો. પરંતુ આ બનાવમાં પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન પહોંચતા આ મામલે પુરવઠા વિભાગે માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સુપરત કર્યો છે. વાવાઝોડાની પ્રચંડતા એટલી હતી કે શહેર સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. 24 જેટલા મકાનોને નુકસાન થયું છે દિવાલો પણ પડી ગઈ છે. જેના પગલે આ મકાનોમાં રહેતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ પણ દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડા એ ભારે ખાનાખરાબી સર્જી હતી. જેમા 524 જેટલા મકાનોને નુકસાન થયું હતું. અલગ અલગ સ્થળોએ આગજનીના બનાવો સામે આવ્યા હતા. સંખ્યાબંધ વૃક્ષો તેમજ વીજપોલ ધરાસાઈ થતા મધ્ય ગુજરાત વીજ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!