![દાહોદ:પંચાલ સમાજ દ્વારા વિના મૂલ્ય સર્વ રોગ નિદાન કેમ્પ ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું](https://dahodlive.com/wp-content/uploads/2021/12/IMG-20211226-WA0253-770x377.jpg)
શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા
દાહોદ:પંચાલ સમાજ દ્વારા વિના મૂલ્ય સર્વ રોગ નિદાન કેમ્પ ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ તેમજ પંચાલ નવયુવક મંડળ દાહોદ તથા નિયમક શ્રી આયુષ્ય ની કચેરી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમે
તથા જિલ્લા આર્યુવેદ અધિકારીશ્રી દાહોદ ના તાબા હેઠળના સરકારી આર્યુવેદ દવાખાનું ગડોઈ સરકારી આર્યુવેદ દવાખાનું ખરોદા સરકારી આર્યુવેદ દવાખાનું ગારખાયા દ્વારા ગુડ ગવર્ન્સ ડે ની ઉજવણી નિમિતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન તારીખ 27.12.2021 ને સોમવારના રોજ પંચાલ સમાજની વાડી ચેતના સોસાયટી દાહોદ મુકામે સવારના ૧૦થી બપોરના 2 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે .જેમાં દાહોદ જિલ્લાના પંચાલ સમાજના તથા જિલ્લાની જાહેર જનતાને લાભ લેવા નમ્ર વિનંતી છે પંચાલ સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે