ફતેપુરા બજારમાં એક જ ટોપલા કે થેલામાં ફળ ફળાદી અને શાકભાજીના ધંધા કરતા ધંધાર્થીને બજાર ફીમાંથી મુક્તિ આપવા બાબતે આદિવાસી ટાઇગર સેનાએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

Contents

ફતેપુરા આદિવાસી ટાઇગર સેના દ્વારા તલાટી કમ મંત્રી શ્રી સરપંચશ્રી અને મામલતદારશ્રીને આપેલ આવેદન પત્ર

ફતેપુરા બજારમાં એક જ ટોપલા કે થેલામાં ફળ ફળાદી અને શાકભાજીના ધંધા કરતા ધંધાર્થીને બજાર ફીમાંથી મુક્તિ આપવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું

ફતેપુરા તા.15

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ગામડાઓમાંથી શાકભાજી વેચનાર અને ફળ ફળાદી વેચનાર ધંધાર્થીને બજાર ફીમાંથી મુક્તિ આપવા માટે ફતેપુરા આદિવાસી ટાઈગર સેના આવેદનપત્રો આપવામાં આવેલ છે.ફતેપુરા બજારમાં એક જ ટોપલા કે થેલામાં ફળ ફળાદી શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ 100 થી 250 રોજગારી મેળવતા ગરીબ નાના ધંધાર્થીઓ ને બજાર ફીમાંથી માફી આપવા માટે આદિવાસી આદિવાસી ટાઇગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ દ્વારા ફતેપુરાના તલાટી કમ મંત્રી સરપંચ તેમજ મામલતદાર આવેદનપત્ર આપી ધટતું કરવા માટે માંગણી કરેલ છે.

Share This Article