ફતેપુરા નગરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સેવાભાવી લોકો દ્વારા ખીચડી અને ખીરનું વિતરણ કરાયું:પંથકવાસીઓએ જલેબી ફાફડા અને લીલવાની કચોરીની જીયાફત ઉડાવી

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સમાજ સેવક દ્વારા ખીચડી અને ખીરનું વિતરણ કરવામાં આવ્યું,નગરમાં ઝાલોદ રોડ અને ધુધસ રોડ પર વિના મુલ્યે દરેક સમાજના લોકોને વિતરણ કરવામાં આવ્યું,ઊંધિયું જલેબી ફાફડા અને લીલવાની કચોરી ની ખરીદી કરવા માટે દુકાનો પર લાઇનો લાગી

ફતેપુરા વાસીઓએ ઊંધિયું જલેબી ફાફડા અને લીલવાની કચોરીની જિયાફત માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી

ફતેપુરા તા.14

  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરના ઝાલોદ રોડ અને ધુધસ રોડ પર સ્ટોલ ઉભા કરીને સમાજ સેવકો દ્વારા આવતા જતા રાહદારી ઓ અમીર-ગરીબ નાના-મોટા મહિલા પુરુષ દરેક લોકો માટે કોઈ પણ નાત જાત વગર દરેક જાતિના લોકોને

ખીચડી અને ખીરનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.જેનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો.ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સભ્ય વિશાલભાઈ નહાર સમાજ સેવકો કપિલ ભાઈ

નાહર,ઉમંગભાઈ શાહ,લાલાભાઇ કલાલ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલ સહિતના લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું જલેબી ફાફડા અને લીલવાની કચોરી લોકોએ ભરપૂર જિયાફત ઉડાવી હતી.ખરીદી કરવા માટે લોકોને દુકાન ઉપર લાંબી લાઈનો અને ભીડ જોવા મળતી હતી.

Share This Article