ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ મેળવવા માટે અરજદારો દ્વારા ભીડ એકઠી થતી હોય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ના હોય તેઓ મામલતદાર શ્રી પી.ઍન પરમારના મામલતદાર કચેરીમાં વિજિટ દરમિયાન ધ્યાનમાં આવતા આધાર કાર્ડ કાઢી આપવા ઓપરેટર તેમજ મામલતદાર કચેરીના સ્ટાફને આધાર કાર્ડ કઢાવવા માટે આવતા અરજદારોને ટોકન આપી વારા ફરતી બોલાવવા માટે સુચના આપતા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની વિવિધ કામગીરી જેવા કે નામમાં ફેરફાર જન્મતારીખનો ફેરફાર સરનામુ ફેરફાર તેમજ નવીન આધારકાર્ડ મેળવતા અરજદારોને ટોકન નંબર આપી વારાફરતી બોલાવવામાં આવતા ભીડ ઓછી થવા પામી હતી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું હતું મામલતદારશ્રી ના પગલાંથી અરજદારોમાં તેમજ સ્ટાફમાં શાંતિ જોવા મળતી હતી