રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદના ડુંગરી ડબલ મર્ડર કેસમાં પિતાને આજીવન કેદની સજા.!
બે માસુમ બાળકોની હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ,4 વર્ષ બાદ કોર્ટે આપ્યો કડક ચુકાદો..
દાહોદ તા.10
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ચાર વર્ષ પહેલા પિતાએ પોતાના બે માસુમ બાળકો સાથે સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પિતાએ બે માસુમ બાળકોનું ગળુ દબાવી બંન્ને માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં પરિવારજનોએ પિતાને બચાવી લેવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસ મથકે ફરિયા નોંધાંતાં આ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી જતાં દાહોદની નામદાર કોર્ટ દ્વારા આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
ઝાલોદના ડુંગરી ગામે ભુરીયા ફળિયામાં રહેતો ભુરસીંગભાઈ સોમલાભાઈ ડાંગીએ ગત તારીખ ૦૧.૦૬.૨૦૨૩ના રોજ પોતાના પારિવારીક અણબનાવને કારણે આરોપી ભુરસીંગભાઈ ડાંગીએ પોતાના બે માસુમ બાળકો પ્રતિક્ષા અને જયરાજનું ગળુ દબાવી બંન્ને બાળકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં ત્યારે બાદ પોતે પણ આરોપી ભુરસીંગબાઈ ડાંગીએ પોતાનું જીવન ટુંકાવવા માટે ગળાંફાસો ખાઈ આત્મહત્યાસ કરવાનો પ્રયાસ કર્યાે હતો. આ બનાવ બનતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવા જઈ રહેલા ભુરસીંગભાઈને લટકતો બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ બંન્ને માસુમ બાળકોના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે લીમડી પોલીસ મથકે પિતા ભુરસીંગભાઈ ડાંગી વિરૂધ્ધ ફરિયાદ નોંધાંઈ હતી અને આ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલતો હતો ત્યારે આ કેસનો ચુકાદો ગતરોજ આવ્યો હતો જેમાં સરકારી વકીલની આરોપી ભુરસીંગભાઈ ડાંગી વિરૂધ્ધના જરૂરી પુરાવાઓ અને ધારદાર રજુઆતોને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
————————————-
