ફતેપુરામાં કોરોના સંક્રમણના પગલે એ.પી.એમ.સી.ના અનાજની ખરીદ વેચાણનો સમય સવારે 8 થી બપોરના 2 વાગ્યાં સુધીનો કરાયો

Editor Dahod Live
1 Min Read
 શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા તા.15

ફતેપુરા એ.પી.એમ.સી.ના અનાજની ખરીદ વેચાણ ના સમયમાં થયેલ ઘટાડો,ફતેપુરા એપીએમસી સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી ચાલુ રહેશે, ફતેપુરા માર્કેટિંગ યાર્ડને કમિટી અને વેપારીઓએ નક્કી કરેલ સમય

ફતેપુરા તા.15

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં અનાજના ખરીદ વેચાણ કરતા વેપારીઓ દ્વારા તેમજ માર્કેટિંગ ની કમિટી દ્વારા નક્કી કરી સમય માં ઘટાડો કરવામાં આવેલ છે કોરોના મહામારી અને કોરોના કેશો દિવસે દિવસે દાહોદ જિલ્લામાં આવતા જાય છે ફતેપુરામાં પણ કોરોના ના કેસો ને ધ્યાનમાં લઈને ફતેપુરા માર્કેટિંગ યાર્ડ કમિટી અને વેપારી એસોસિયેશન દ્વારા સમય નક્કી કરી માર્કેટિંગ યાર્ડ નો સમય સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતા અને લોકોમાં જાગૃતિ લાવવા માઈક દ્વારા પ્રચાર કરી ખેડૂતોને અને માર્કેટીંગ યાર્ડના લગતા ગ્રાહકોને જાણ કરવામાં આવેલ હતી
ફતેપુરા માર્કેટિંગ યાર્ડ નો સમય કોરોના મહામારી ના કાર ને માર્કેટિંગ યાર્ડ કમિટી અને વેપારી એસોસિયેશન દ્વારા સમય નક્કી કરવામાં આવેલ છે સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

Share This Article