Thursday, 19/09/2024
Dark Mode

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ. ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

September 15, 2024
        4593
પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ.  ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ.

ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

દાહોદ તા.૧૫

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ. ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ રોકડા રૂપીયા ૧૫૦૦ મળી કુલ રૂા.૪૫૦૦ની મત્તાની તસ્કરો ચારી કરી લઈ નાસી ગયાં હતાં ત્યારે ચોરીની ઘટનાને પગલે આસપાસના લોકો જાગી જતાં અને આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તસ્કરોનો પીછો કર્યાે હતો ત્યારે તસ્કરોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે આખરે બે ઇસમોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે જ્યારે અન્ય બે ઈસમો મકાઈના ઉભા પાકમાં ભાગી જતા પોલીસે તેમને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી છે.

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ. ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

ગતરોજ રાત્રીના બે વાગ્યાના આસપાસ ઝાલોદ નગરમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો ત્યારે મંદિરમાં ચોરો આવ્યાં હોવાનું આસપાસના લોકોને જાણવા મળતાં લોકોએ સ્થાનીક પોલીસને જાણ કરતાં સ્થાનીક પોલીસનો કાફલો તેમજ સ્થાનીક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયાં હતાં.

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે તસ્કરો ઝડપાયા, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ. ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, તસ્કરોનો પોલીસ પર પથ્થર મારો..

તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપી નજીકના ખેતરમાંથી ભાગ્યાં હતાં ત્યારે ખેતરોમાં ઢીંચણ સમા પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોરો પાછળ પોલિસ દોડી હતી. ત્યારે તસ્કરોએ પથ્થરમારો કર્યાે હતો.જોકે પોલીસે અંદાજીત રાત્રીના બે વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ચોરોને પકડવાનુ ઓપરેશન ચાલ્યું હતું. જાણવા મળ્યા મુજબ ૪ ચોરો ચોરી કરવા આવેલ હતા તેમાંથી બે ચોરોને પકડવામાં પોલિસને સફળતા મળી છે.ચોરો મધ્યપ્રદેશ બાજુના હોવાનું જાણવા મળેલ છે.જોકે બનાવની જાણ થતાં દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા પણ ઝાલોદ ખાતે પહોંચ્યા હતા. અને એલસીબી એસઓજી સહિત અન્ય જુદી જુદી ટીમોને સક્રિય કરી તસ્કરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે તસ્કરો મકાઈના ઉભા પાકમાં ભાગ્યા હોવાથી પોલીસે તેઓને ઝડપી પાડવા માટેની મદદ પણ લીધી હતી.ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી પટેલની આગેવાનીમા પોલિસ સ્ટાફે સિંઘમની ભૂમિકા બજાવી હતી.જયારે આ સંબંધે પરેશભાઈ જયંતિલાલ જાેષીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!