
ગરબાડામાં પ્રાણીના પ્રશ્નો મુદ્દે હોબાળા બાદ ગ્રામ પંચાયત એક્શનમાં પાઇપલાઇનના મેન્ટેનન્સ બાદ નગરજનોને નિયમિત પાણી મળશે.
અસામાજિક તત્વો દ્વારા અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવતું હતું : – સરપંચ..
ગરબાડા તા. ૩
મળતી વિગતો અનુસાર ગઈકાલે થયેલા જે પાણીના પ્રશ્નના હોબાળા બાબતે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડ એ પ્રતિક્રિયા આપી હતી અને તેમને જણાવ્યું હતું કે જે ગરબાડાને આપવામાં આવતી પાણીની પાઇપલાઇનમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર ભંગાણ કરવામાં આવે છે જેના કારણે ગરબાડા નગરવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાતું નથી જેનું આજે સમારકામ કરવામાં આવ્યું છે જે સમારકામ પત્યા પછી ગરબાડા નગર વાસીઓને ફરીથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે અને હવે પછી અસામાજિક તત્વો દ્વારા આ મોણકો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવશે તો તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..