રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ચંદલા આશ્રમશાળા ખાતે ધન નિરંકાર નો સત્સંગ કાર્યક્રમ યોજાયો

ચંદલા ખાતે ધન નીરંકાર જી સત્સંગ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં 133 વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યા

આજરોજ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના ચંદલા ગામ ખાતે ચંદલા આશ્રમશાળા ના પટાણગણમાં ધન નિરંકારજી દિલ્હીથી પધારેલા સંત ગુરુજી નો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આજુબાજુ ના વિસ્તારોમાંથી આ કાર્યક્રમમાં 4,000 જેટલા ભક્તોનો જમાવડો થયો હતો જે ધન નિરંકારજી સત્સંગ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ જોડાયા હતા અને દિલ્હીથી પધારેલ સંત ગુરુજીના આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં સામુહિક પ્રસાદીની પણ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો
