દાહોદ સૈફીનગરના જનાબ સાહેબે મંત્રી ગણપતસિંહ વસાવા સાથે શુભેચ્છા મુલાકાત કરી 

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

દાહોદ સૈફીનગરના જનાબ સાહેબે મંત્રી ગણપતસિંહ વસાવા સાથે શુભેચ્છા મુલાકાત કરી 

 દાઉદી વ્હોરા સમાજમાં હાલ મોહરમ ચાલતા હોય સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ મસ્જિદોમાં અને મરકઝ અને અને મકાન પર ઇમામ હુસૈન ની વાયજ અને માતમ ની મજાલીસ થાય છે દાહોદના ગોધરા રોડ પર સૈફી નગરમાં આવેલ મોહંમદી મસ્જિદ માં જનાબ સાહેબ શૈખ ફઝલૈહુસેનભાઇ વાયજ માટે આવેલા છે આજરોજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત સિંહ વસાવા ના વરદ હસ્તે ધ્વજ વંદન રાખેલ હતું જનાબ સાહેબ શૈખ ફઝલૈહુસેનભાઇ સાહેબ અને દાઉદ દાઉદી વોહરા આગેવાન અલીઅસગરભાઈ દૂધીયાવાલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર મંત્રીશ્રી ગણપત સિંહ વસાવા ની મુલાકાત લઈને દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદીન મોલા ત.ઉ.સ.નો પૈગામ પહોંચાડી સ્વતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપેલ હતા

Share This Article