રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા દાહોદ
દાહોદમાં મહિલા સશક્તિકરણ તેમજ બેટી બચાવો,બેટી પઢાવોના દાવા પોકળ સાબિત થયા
ધાનપુરના ખજૂરીમાં પરણિતા પ્રેમી સાથે ભાગી જતા મળી તાલીબાની સજા
સાસરિયાઓ દ્વારા પરણિતા તેમજ તેના પ્રેમીને નગ્ન કરી ઢોર માર મારી વરઘોડો કાઢ્યો,19. લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજ્યકક્ષાના મંત્રી ના મત વિસ્તારમાં અવાર નવાર બનતી ઘટનાના પગલે મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવો જોઈએ :- ચંદ્રિકાબેન બારીયા ધારાસભ્ય ગરબાડા
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી નગ્ન હાલતમાં ગામમાં પરિણીતાનો વરઘોડો કાઢતા આ બનાવનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ વિડીયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું.આ બનાવ સંબંધે પરિણીતા દ્વારા પતિ તથા ૧૯ ઈસમોના ટોળા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિકરણના દાવાઓ પોકળ: જુના રીતરિવાજો અને કુરિવાજો મહિલાઓ માટે ત્રાસદાયક
દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તિકરણનો મોટી મોટી વાતો થઈ હોય છે પરંતુ જિલ્લામાં હાલ પણ જુના રિતીરિવાજાે અન કુરિવાજાેને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભુતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યાં હતાં ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રેમ સબંધમાં પરણિતા તેમજ તેના પ્રેમીને મળી તાલીબાની સજા: બંને પ્રેમી જોડાને નગ્ન કરી વરઘોડો કાઢી ઢોર માર માર્યો:19 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાયો
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેમાં આ મામલે ગત તા.૦૬ જુલાઈના રોજ પતિ તથા તેના સાસરીયાઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી પરણિતાનો પતિ તથા તેના સાસરી પક્ષના તેમજ તેના ગામના માણસોના ૧૯ જેટલા ટોળાએ પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી ખજુરી ગામે લઈ આવ્યાં હતાં. ખજુરી ગામે લાવી પરણિતાને ગડદાપાટ્ટુનો માર મારી તેણીની ખેંચતાણ કરી કપડા ફાંડી નાંખ્યા હતાં. આ બાદ પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાંની વેંત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક્શનમાં આવેલ પોલીસે આ વિડીયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વિડીયો ધાનપુર તાલુકાના ખજુરી ગામનો હોવાનું માલુમ પડતાં પોલીસે ખજુરી ગામે પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલ પરણિતાની સાથે પોલીસે મુલાકાત કરી ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી પરણિતાએ પોલીસને આપી હતી. આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ તેના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતાં અન્ય પપ્પુભાઈ કાનીયાભાઈ, ભરતભાઈ સવલાભાઈ, રાકેશભાઈ સવલાભાઈ, નવલસીંગ કસનાભાઈ, રમેશભાઈ ઉર્ફે નન્નભાઈ સનીયાભાઈ, મેહુલભાઈ સબુરભાઈ મછાર, સબીયાભાઈ દહરીયાભાઈ, સંજયભાઈ દિતીયાભાઈ, દિતીયાભાઈ નાનાભાઈ, મડીયાભાઈ દિતીયાભાઈ, નવરીયાભાઈ કસનાભાઈ મછાર, લક્ષ્મણભાઈ સબીયાભાઈ મછાર, રણજીતભાઈ આમલીયા, સબુરભાઈ નાનાભાઈ, અખીલભાઈ મડીયાભાઈ, મનીશભાઈ સબીયાભાઈ, વીનાભાઈ બદીયાભાઈ અને પાંઘળાભાઈ બદીયાભાઈ તમામ જાતે મછાર (તમામ રહેવાસી ખજુરી, તા.ધાનપુર, તા. જિલ્લો) વિરૂધ્ધ અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પોલીસે ઉપરોક્ત ટોળાના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. જાણવા મળ્યાં અનુસાર, આ બનાવમાં પોલીસે ઉપરોક્ત ટોળા પૈકી કેટલાંકની અટકાયત પણ કરી છે જ્યારે અન્યોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ભાજપના રાજમાં મહિલા સશક્તિકરણ ના દાવા પોકલ: રાજ્યકક્ષાના મંત્રી ના મત વિસ્તારમાં અવાર નવાર બનતી ઘટનાના પગલે મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવો જોઈએ :- ચંદ્રિકાબેન બારીયા ધારાસભ્ય ગરબાડા
ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગઇકાલે બનેલી ચકચારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. હાલ ધાનપુર પોલીસે હાલ 19 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે ગરબાડા ના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપની સરકારમાં મહિલા સશક્તિકરણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ ના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ ના મત વિસ્તારમાં અગાઉ પણ ગાડીમાં એક મહિલા જોડે બળાત્કારની ઘટના બની હતી. ત્યારે આજરોજ ફરી એમના મત વિસ્તારમાં એક મહિલાને પ્રેમ સંબંધમાં સાસરિયાઓ તેમજ ગ્રામજનો દ્વારા તાલીબાની સજા આપવામાં આવી છે. તે ખરેખર વંદનીય છે તમે જણાવ્યું હતું કે ભાજપના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી કે આ ઘટના બાદ રાજીનામું આપી દેવું જોઈએ આવા કરતો રોકવા નક્કર કામગીરી કરવી જોઈએ. ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી કડકમાં કડક સજા કરવી જોઈએ. આ મુદ્દાઓ પણ મેં વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ ભાજપની સરકારમાં આવા ગુનેગારોને શિક્ષા કરવામાં આવતી નથી. ભાજપ સરકાર આવા કૃત્ય કરનારા તત્વોને છાવરે છે. તેમ જણાવ્યું હતું.