સિંગવડ તાલુકા પંચાયત રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઉકાળા તથા આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું 

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના સિંગવડ તાલુકા પંચાયત રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઉકાળા તથા આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું

સીંગવડ તા.07

 સિંગવડ તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ 6.4.2021 ના રોજ સરકારી આયુર્વેદ દવાખાનુ રંધીકપુર દ્વારા તાલુકા પંચાયત સીંગવડ મામલતદાર કચેરી સિંગવડ રણધીકપુર પોલીસ સ્ટેશન તથા શિંગવડ બજારમાં કોરોનાવાયરસ અને ઋતુજન્ય રોગોના સામે રક્ષણ મળી રહે તે અને માર્ગદર્શન મળી રહે તથ  તેના સામે રક્ષણ મળી રહે તે માટે હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ 30 અને આયુર્વેદ અમૃત પે ઉકાળા તથા સંસમની વટી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું આ બધી સરકારી ઓફિસોમાં  તમામ સ્ટાફ અને ગામડાઓમાંથી આવતા તમામ લોકોને અમૃત પે ઉકાળો તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમાં લુખાવાડા દવાખાના ડોક્ટર સંગીતા કે બોખાણી અને રંધીકપુર હોમિયોપેથીક ડોક્ટર ઉમેશ શાહ અને લુખાવાડા સરકારી આયુર્વેદિક દવાખાના કમ્પાઉન્ડર બી.બી.પટેલ દ્વારા આ તમામ દવાઓ તથા ઉકાળા આપવામાં આવ્યા.

Share This Article