ફતેપુરા તાલુકામાં કોવિડ 19ને લઈ આજરોજ દાહોદ કલેકટર વિજય ખરાડીએ ઓચિંતી મુલાકાત સહકારી ઓફિસોમાં લીધી હતી.ફતેપુરા સામૂહિક દવાખાનુ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીમાં મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન કોવિડ 19ને લઈને વ્યવસ્થા કરવામાં આવેલી છે.કે નહીં તેની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી કોવિડને લગતા પ્રશ્નોનું નિરાકરણ તેમજ સાવચેતીના ભાગરૂપે શું પગલા લેવા તેની જાણકારી અધિકારીઓને આપી હતી.અને સોશિયલ ડિસ્ટન્સ માસ્કને સેનેટાઈઝર ઉપર ખુબ જ ભાર મૂક્યો હતો.
વધુમાં વધુ લોકો સુધી જાગૃત થાય અને લોકો આ કોરોના મહામારી થી બચી શકે તેવા આપણે બધાએ ભેગા મળી અથાક પ્રયત્ન કરવા પડશે તેવું કલેક્ટર સાહેબે જણાવ્યું હતું.