ફતેપુરાના મારગાળામાં સાવકા પિતાએ 14 વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારતા ચકચાર: સગીરાની માતાએ પતિ વિરુદ્ધ આપી પોલીસ મથકે ફરિયાદ:પુત્રીને પતિના ચુંગાલમાંથી છોડાવવા માતાની આજીજી

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરાના મારગાળામાં પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ,માતાએ પતિ વિરુદ્ધ આપી પોલીસ મથકે ફરિયાદ,પુત્રીને પતિની ચુંગલમાંથી છોડાવવા માતાની આજીજી

 સુખસર.તા.24

ફતેપુરા તાલુકાના મારગાળા ગામમાં પિતા દ્વારા જ પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતા હોવાની ઘટનાને લઇ ચકચાર મચી જવા પામી છે.માતાએ પુત્રીને પતિની ચુંગાલમાંથી છોડાવવા અને ઘટના બાબતે સુખસર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મારગાળા ગામે પિતા જ ૧૪ વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારતો હોવાની માતા દ્વારા ફરિયાદ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાના પતિનું કુદરતી રીતે મોત થયા બાદ સમાજના રીત મુજબ દિયર સાથે જ દિયરવટુ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના 14 વર્ષીય પુત્રીને જ તેના પિતા દ્વારા બહારગામ મંજૂરી લઈ જાય બળાત્કાર ગુજાર્યો હતો.અને મારગાળા ખાતે પણ બળાત્કાર ગુજારવામાં આવતો હોવાની લેખિત ફરિયાદ સગીરાની માતા દ્વારા સુખસર પોલીસ મથકે આપતા ચકચાર મચી જવા પામી છે. પોતાની સગીર પુત્રીને પતિની ચુંગાલમાંથી છોડાવવા માતા દ્વારા અરજી કરવામાં આવી હતી.

Share This Article