સિંગવડ તાલુકાના કબુતરી નદીના તટ પર આવેલા રામદેવપીરના મંદિરે તેજા દશમની ધજા ચડાવવામાં આવી

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકાના કબુતરી નદીના તટ પર આવેલા રામદેવપીરના મંદિરે તેજા દશમની ધજા ચડાવવામાં આવી

સીંગવડ તા.28

સિંગવડ તાલુકાના કબુતરી નદીના તટ પર આવેલા માભમરેચી ના મંદિરની જોડે રામદેવપીરના મંદિરે તેજા દશમના દિવસે ધજા ચડાવવામાં આવતી હોય છે પરંતુ કોરોનાવાયરસ ને લીધે આ કાર્યક્રમ ધામધૂમથી નહિ પણ સાદાઈથી કરીને રામદેવપીરના મંદિર પર તેમના ભક્ત કરણસિંહ વણઝારા દ્વારા ધજા ચડાવવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંત શ્રી સુમરન દાસ તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર માજી જિલ્લા પંચાયત એન ડી પટેલ સિંગવડ સરપંચ જીવણભાઈ વહુનીયા તથા સીંગવડ ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ તથા સરપંચો તથા ભકતો ઉપસ્થિત રહ્યા હતા કરણ સિંહ વણઝારા દ્વારા આવેલા મહેમાનો સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષે તેજા દસમના દિવસે બાબા રામદેવપીરના મંદિરે ધજા ચડાવીને ભક્તો ભોજન પ્રસાદી પણ લેતા હોય છે પરંતુ કોરોનાવાયરસ ના લીધે આ વખતે ભોજન પ્રસાદ ની જગ્યાએ ખાલી બુંદીનો પ્રસાદ વહેંચી ને સરકારશ્રીના કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું આ રીતે તેજાજી ના દિવસે બાબા રામદેવપીરને યાદ કરવામાં આવતા હોય છે.

Share This Article