Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદ નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : સોના ચાંદીના દાગીના મળી પોણા બે લાખની માલમતા પર હાથફેરો..

September 20, 2022
        1156
ઝાલોદ નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : સોના ચાંદીના દાગીના મળી પોણા બે લાખની માલમતા પર હાથફેરો..

દક્ષેશ ચૌહાણ, ઝાલોદ

 

ઝાલોદ નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : સોના ચાંદીના દાગીના મળી પોણા બે લાખની માલમતા પર હાથફેરો..

 

 

દાહોદ તા.૨૦

 

દાહોદ જિલ્લાના ઝાલોદ એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના ચાંદીના મળી કુલ રૂા. ૧,૮૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

 

ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ નગરમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ સોસાયટીમાં રહેતાં સોમાભાઈ કસુભાઈ અડના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા ૮૫,૦૦૦ અને સોના – ચાંદીના દાગીના કિંમત રૂા. ૯૫,૦૦૦ વિગેરેની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સોમાભાઈ કસુભાઈ અડ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!