મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ખાતે મહારાણા પ્રતાપની પુણ્ય તિથિ નિમિત્તે સાદર વંદન કરવામાં આવ્યા.
અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે.
અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
સંચાલક અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા મહારાણા પ્રતાપનો પરિચય આપ્યો હતો.
સંજેલી તા.21
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તારીખ ૧૯ જાન્યુઆરી ના રોજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે મહારાણા પ્રતાપની પુણ્ય તિથિ નિમિત્તે સાદર વંદન કરવામાં આવ્યા હતા.. તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સમક્ષ મહારાણા પ્રતાપના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા મહારાણા પ્રતાપનો પરિચય આપ્યો હતો. હલધીઘાટી ના યુદ્ધ દરમિયાન તે સમયના વેપારી ભામાશાએ અનુદાન આપ્યું હતું. તેમના ભાલાનું વજન ૮૧ કિલો અને બખ્તરનું વજન ૭૨ હતું. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન ૨૦૮ કિલોગ્રામ હતું. તેમજ ચેતક ઘોડા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ, રાણા પ્રતાપની પ્રતાપની પુણ્ય તિથિ નિમિત્તે સાદર વંદન કરવામાં આવ્યા હતા.