ગરબાડામાં મેઘાને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગુંદર કાઢવાની પ્રથા આજે પણ યથાવત..

Editor Dahod Live
2 Min Read

વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડા મા મેઘા ને મનાવવા અને વર્ષ કેવું જશે તે જાણવા ગુંદર કાઢવાની પ્રથા આજે પણ યથાવત

ચાલુ વર્ષે મધ્યમ વરસાદ અને વર્ષ સારું જવાની  બડવા દ્વારા આગાહી કરવામાં આવી

તાલુકાના દરેક ગામમાં સુવિધા અનુસાર ગુંદરૂ  કાઢવામાં આવે છે

ગરબાડા તા.06

#paid pramotion

contact us sunrise public school 

ગરબાડા પંથકમાં હજારો વર્ષો પહેલા દુષ્કાળની સ્થિતિ તથા બિમારીને નાથવા માટે ઢોરઢાંખર કરને મરતા બચાવવા માટે  વડવાઓએ જે તે સમયે બાબા ઘોડા દેવ ગોરીયા દેવ અને ઓવન માતાનું આહવાન કરી ગુંદરૂ બેસાડવાની પ્રથા ચાલુ કરી હતી અને તેમાં તેઓને સફળતા મળી હતી . આ વિધિમાં બડવાને પવન આવતા ગામનો પટેલ વરસાદ કેવો રહેશે ગામની જાહેર સુખાકારી કેવી રહેશે તે બાબતની ભાળ  મેળવે છે જે પરંપરા અને પ્રથા ગરબાડા પંથકમાં આજે પણ યથાવત જોવા મળે છે . સામાન્ય રીતે ગુંદરૂ અષાઢ મહિનામાં તાલુકાના દરેક ગામમાં પોત પોતાની સુવિધા અનુસાર કાઢવામાં આવે છે ગરબાડામાં પણ  નિયત કરેલી જગ્યા ઉપર ગુંદરૂ કાઢવાના આગલા દિવસે તારીખ 5 ના રાત્રીના ગામનો બડવો પુંજારો , ગામના પટેલ તથા સમાજના લોકો

એકત્રિત થયા હતા. અને  ઢાંક અને વાંસના કામડાના સંગીત ઉપર બાબાદેવ અને ઓવન માતાના આખી રાત ગાયણા ગાવામાં આવ્યા હતા. વહેલી સવારના  બડવાને  પવન . આવતા ગામના પટેલ દ્વારા વરસાદ કેવો રહેશે ? ગામની સ્થિતિ કઇ રીતની રહેશે વર્ષ કેવું જશે ? તે સિવાય પણ અનેક પ્રશ્નોની પૂછપરછ કરવામાં આવી હતી  . ચાલુ વર્ષે મધ્યમ વરસાદ પડવાની અને વર્ષ સારું જવાની બડવા દ્વારા આગાહી કરવામાં આવી છે

ગુંદરા ના ખર્ચ માટે ગામમાં દરેક સમાજના લોકો સહકાર આપે છે .  અને જે દિવસે ગુંદર હોય તે દિવસે ઘરમાં કોઈ કચરો નથી નીકળતો કે ચુલો નથી સળગાવાતો પાણી નથી ભરાતું અને હળ પણ નથી જોતરાતું . હાલમાં તાલુકાના ઘણાખરા ગામોમાં ગુંદરૂ નીકળી ચુકયું છે . જ્યારે ઘણા ખરા ગામોમાં ગુંદરૂ કાઢવા ની તૈયારીઓ પણ ચાલી રહી છે અમુક લોકો આ વિધિ નાળિયેર વધેરીને પણ કરે છે જ્યારે અમુક લોકો પશુ બલિ આપીને પણ આ વિધિ કરે છે

Share This Article