
રાજેશ વસાવે :- દાહોદ
ચીભડિયા ફળિયામાં પૂરથી હાહાકાર : તંત્રની બેદરકારી સામે રહીશોનો ઉગ્ર રોષ
પાણીમાં ડૂબી ઘરવખરી, આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા.. રહીશો – તાત્કાલિક રાહત અને તપાસની માંગ
તાત્કાલિક રાહત અને તપાસની માંગ
દાહોદ તા. ૧૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવન ગામના ચીભડિયા ફળિયામાં ગઈકાલે મોડી સાંજે અચાનક વરસાદી પવન સાથે વાવાઝોડું આવતાં વાંકડી નદીમાં જમાવેલ પાણીએ ઉફાન ભરતાં 30થી વધુ ઘરોમાં પૂર નાં પાણી ઘૂસતા ભારે તારાજી સર્જાઈ હતી.
આ ઘરોમાં રહી રહેલા પરિવારોની ઘેરવખરી, અનાજ, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરગથ્થું સાધનો સહિત મોટાપાયે નુકસાની નોંધાઈ છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વાંકડી નદી પર નેશનલ હાઈવે દ્વારા કરાયેલા તટબંધે પાણીનો પ્રવાહ રોકાતા નદીની દિશા બદલીને વસાહત તરફ ફરી ગયો હતો, જેના કારણે ઘરોમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અચાનક આવી દુર્ધટનાથી લોકો પોતાના જીવ બચાવવા માટે પરિવારજનો સાથે આખી રાત નજીકના ડુંગર પર રોકાયા હતા
તે પણ ભૂખ્યા તરસ્યા હાલતમાં રહીશોએ જણાવ્યું કે ઘટનાને અનેક કલાકો વીતી ગયા છતાં સ્થાનિક તંત્ર કે આપત્તિ નિવારણ વિભાગનો કોઈ સંપર્ક થયો નહિ અને કોઈ પ્રાથમિક તપાસ પણ હાથ ધરાઈ નથી. અસરગ્રસ્ત પરિવારો તાત્કાલિક રાહતની રાહ જોઈ રહ્યા છે અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે કામગીરી માટે સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.હવે પ્રશ્ન એ ઉઠે છે
કે આવી કુદરતી આપત્તિના સમયે તંત્ર દ્વારા तत્કાળ કામગીરી કેમ હાથ ધરાતી નથી? શું નદીના પ્રવાહમાં કરેલા માનવીય હસ્તક્ષેપે આ વિપત્તિને વધારી નથી દીધી?
જોકે સ્થાનિક સમાજ અનેGram Panchayat દ્વારા તાત્કાલિક રાહત કેમ્પ, પીવાનું પાણી, ભોજન તથા પુનર્વસન માટે તાત્કાલિક પગલાં લેવા તંત્રને આવકારી વિનંતી કરવામાં આવી છે. સાથે, નુકસાનીગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સામે જવાબદારી નક્કી કરવા માટે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.