
કલ્પેશ શાહ:- સીંગવડ
સિંગવડના વાલાગોટા ગામે એક મકાનમાં ઓચિંતી આગ લાગી જતા લાખો રૂપિયાનું નુકસાન.
દાહોદ તા. ૨૪
સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે 22 5 2025 ના રોજ નદી ફળિયામાં રહેતા બારીયા કિરીટસિંહ ભરતસિંહ ના મકાનમાં રાત્રિ દરમિયાન તે ઘરની બહાર ઓસરીમાં સુતા હતા તેમના પાછળના રૂમમાં જ્યાં ઘરનો સામાન મૂકી રાખ્યો હતો તે જગ્યા પર રાત્રી દરમિયાન ઓચિંતી આગ લાગી ગઈ હતી જેમાં તેમના ઘરમાં મૂકી રાખેલા ઘર ના સર સામાન તથા તિજોરીમાં મૂકી રાખેલા ઘરના તમામ સભ્યોના અસલ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ ગેસની ચોપડી તથા લિવિંગ સર્ટી માર્કસીટો. સમાજ કલ્યાણ ના દાખલાઓ અને
ઓરીજનલ દસ્તાવેજો તથા સોના ચાંદીના દાગીના કપડા ઘરમાં મૂકી રાખેલા અનાજ વાસણો પેટી પલંગ પતરાની પેટીઓ ફ્રિજ કુલર ટીવી ગાદલા તથા પૂરું લાકડા વળી વાળું મકાન રાત્રી સમયે સળગી ગયું હતું જ્યારે બીજી કોઈ જાનહાની થવા પામી નહોતી જે કઈ બળી ગયું હતું તેનો અંદાજિત રૂપિયા 2.50000 હજારનું નુકસાન થવા પામ્યું હતું જ્યારે આની જાણ રણધીપુર પોલીસ સ્ટેશન એ કરવામાં આવી હતી અને રણધીપુર પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ પર જઈને તપાસ કરીને પંચનામુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ સળગી જવાથી ઘર માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું સાથે સાથે તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ બળી જતા તેમને વધારાની મુસીબત આવી હતી.