દાહોદ જિલ્લામાં વહીવટી ફેરબદલ: જિલ્લા કલેક્ટરે 10 નાયબ મામલતદાર, 3 ક્લાર્ક અને 2 મહેસુલી તલાટીની આંતરિક બદલી કરી, તાત્કાલિક હાજર થવા આદેશ..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં વહીવટી ફેરબદલ: જિલ્લા કલેક્ટરે 10 નાયબ મામલતદાર, 3 ક્લાર્ક અને 2 મહેસુલી તલાટીની આંતરિક બદલી કરી, તાત્કાલિક હાજર થવા આદેશ..

દાહોદ તા.25

 

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલ કરી છે. આ ફેરબદલમાં 10 નાયબ મામલતદાર, 3 મહેસૂલી કારકૂન અને 2 મહેસૂલી તલાટીની બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદારોમાં એ.એન.પરમારને દાહોદથી ગરબાડા, બી.બી.પંચાલને દેવગઢ બારીઆથી કલેક્ટર કચેરી દાહોદ, પી.કે.ચારેલને સિંગવડથી દેવગઢ બારીઆ ખાતે મૂકવામાં આવ્યા છે. આર.આર.બારીઆને RTS કલેક્ટર કચેરીથી દાહોદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે.

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલ કરી છે. આ ફેરબદલમાં 10 નાયબ મામલતદાર, 3 મહેસૂલી કારકૂન અને 2 મહેસૂલી તલાટીની બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદારોમાં એ.એન.પરમારને દાહોદથી ગરબાડા, બી.બી.પંચાલને દેવગઢ બારીઆથી કલેક્ટર કચેરી દાહોદ, પી.કે.ચારેલને સિંગવડથી દેવગઢ બારીઆ ખાતે મૂકવામાં આવ્યા છે. આર.આર.બારીઆને RTS કલેક્ટર કચેરીથી દાહોદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે.

એસ.કે.ભરવાડને વસ્તી ગણતરી વિભાગથી RTS વિભાગમાં, જે.બી.રાઠોડને ગરબાડાથી જમીન સંપાદન વિભાગમાં, કે.કે.તડવીને ફતેપુરાથી દેવગઢ બારીઆમાં બદલી કરવામાં આવી છે. એચ.ડી.ચૌધરી, ડી.બી.વસૈયા અને આર.કે.ચૌહાણની પણ વિવિધ વિભાગોમાં બદલી કરવામાં આવી છે.

Share This Article