
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ શરૂ, 9000 HP લોકોમોટીવ એન્જિન થશે તૈયાર.
દાહોદમાં તૈયાર કરવામાં આવનારા 9000 HP લોકોમોટીવ એન્જિનને 30-40 દિવસમાં ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવશે,
10 વર્ષમાં 1200 એન્જિનનું ઉત્પાદન અને રેલવેમાં નવો કીર્તિમાન સ્થાપિત થશે..
વલસાડ ઇન્ટરસિટી બે માસમાં ચાલુ થશે, દાહોદ- ગોધરા વચ્ચે ત્રીજા ચોથા ટ્રેક નાખવા ભૂમિ અધિગ્રહણ કરાશે..
દાહોદ તા. 01
દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થવા પામ્યું છે.આજે દાહોદ આવેલા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ કારખાનાની મુલાકાત લીધી હતી. અને 9000 HP ના તૈયાર લોકોમોટીવ એન્જિનની મુલાકાત લઈ તેની વિશેષતા અંગે ઉપસ્થિત રેલ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઝીણવટભરી વિગતો મેળવી હતી 85 ટકા મેક ઇન ઇન્ડિયાના તર્જ પર તૈયાર એન્જિન આગામી 30 થી 40 દિવસમાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ પાટા પર દોડવા માટે તૈયાર થશે. સંભવિત અગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રથમ એન્જિન દેશને સમર્પિત કરવામાં આવશે.PPP મોડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર થશે અને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. જોકે રેલમંત્રીના જણાવ્યા અનુસાર દાહોદમાં બનેલા એન્જિન આગામી ત્રણ વર્ષમાં વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે..
*9000 HP લોકોમોટીવ એન્જિનની વિશેષતાઓ*
દાહોદમાં બનેલા લોકોમોટીવ હાલ 85% મેક ઇન ઇન્ડિયા ના કોન્સર્ટ ઉપર બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં 100% મેક ઈન્ડિયાના તર્જ પર એન્જિન બનશે. જેમાં 4600 ટનના કાર્ગો ખેંચી લઈ જવાની ક્ષમતા હશે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે AC તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે દુર્ઘટના થી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે.
*દાહોદમાં બનેલા 9000 HP ના લોકોમોટીવ પર દાહોદનુ ટેગ લાગશે.*
દાહોદમાં 20000 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. જે પૈકી પ્રથમ 4 એન્જિન હમણાં તૈયાર થઈ રહ્યા છે જેમાં પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. સંભવિત 30 થી 40 દિવસમાં પ્રથમ એન્જિન કારખાનામાંથી બહાર નીકળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશને સમર્પિત કરવામાં આવશે. જોકે દાહોદમાં તૈયાર થયેલા એન્જિન ઉપર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ લખાશે. અને દેશ દુનિયામાં દાહોદનું નામ થશે…
*ગોધરા-નાગદા સેક્શનમાં ત્રીજા અને ચોથા ટ્રેક નખાશે, ભૂમિ અધિગ્રહણ કરી કર્વ સીધા કરાશે.*
દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર ટ્રેનોનો ભારણ વધતા રેલવે તંત્ર હવે ત્રીજો અને ચોથો ટ્રેક પાથરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગોધરા- નાગદા સેક્શનમાં ત્રીજો અને ચોથો ટ્રેક પાથરવા માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પરંતુ દાહોદ-ગોધરા વચ્ચે ઘણા બધા કર્વ હોવાથી ટ્રેનોની સ્પીડમાં ઘટાડો થાય છે.જોકે નવા ટ્રેક પાથરવાની સાથે ગોધરા દાહોદ વચ્ચેના તમામ કર્વ સીધા કરવા માટે રેલવે ભૂમિ અધિક ગ્રહણ કરશે જેમાં રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીની મદદ લેવામાં આવશે.
*દાહોદના નવા રેલ કારખાનામાં 85 ટકા વર્કર લોકલ છે:- રેલમંત્રી*
દાહોદમાં નવા બંધાયેલા રેલ કારખાનામાં 85% ટકા એમ્પ્લોય તરીકે અહીંના સ્થાનિક લોકોને લેવામાં આવ્યા છે. તેઓ દાવો રેલ મંત્રીએ કર્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા જ આદિવાસી સમાજ દ્વારા રેલવે કારખાનામાં 85% સ્થાનિક લોકોને લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. અત્યારે જે વર્કરો છે તેમાંથી ગણતરીના વર્કરો સ્થાનિક છે બીજા બધા વર્કરો બહારના હોવાનું સામે આવી છે ત્યારે આગામી સમયમાં સ્થાનિક લોકોને રોજગાર મળે તે માટેની માંગ ઉઠવા પામી છે.
*લાંબા સમયથી માંગ પૂરી કરાઈ, બે માસમાં વલસાડ ઇન્ટરસિટી શરૂ થશે..*
દાહોદની મુખ્યત્વે માંગણી અને કોરોનાકાળ પહેલા બંધ થયેલી દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેન નો ઉકેલ મળી ગયો છે અને આગામી બે માસમાં ટ્રેન પુનઃદોડતી કરાશે દાહોદના સાંસદની વારંવારની માંગણી અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.ત્યારે દાહોદ માટે ખૂબ જ મહત્વની એવી દાહોદ વલસાડ ઇન્ટરસિટી ચાલુ થવાથી માત્ર દાહોદ નહીં પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશના લોકોને પણ આ ટ્રેન ખૂબ જ ફાયદાકારક નીકળશે આમ પણ રેલવેને ખૂબ મોટી આવક કરાવી આપતી દાહોદ વલસાડ ઇન્ટરસિટી બંધ થવાથી રેલવેને ખૂબ મોટું નુકસાન પણ જતું હતું ત્યારે આગામી દિવસોમાં દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની રેલ મંત્રીની ખાતરીથી ઉપસ્થિત સૌમાં આનંદની લાગણી ફેલાઈ છે.