
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ) નો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ” સોળ સંસ્કાર “
દાહોદ તા. ૧૬
તારીખ 15/ 2 /2025 ને શનિવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર શાળા (ગુજરાતી માધ્યમ ) દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેનો વિષય ” સોળ સંસ્કાર ” રાખવામાં આવ્યો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માનનીય શ્રી મિલિન્દકુમાર . ડી. દવે સાહેબ મુખ્ય મહેમાન રહ્યા હતા.
તેમજ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ અને મેનેજમેન્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો મુખ્ય ધ્યેય આજની યુવાપેઢી આપણી સનાતન સંસ્કૃતિને સમજી શકે અને જીવનના મુખ્ય ” સોળ સંસ્કાર ” ને જાણી શકે એ ઉદ્દેશ્યથી આ વિષય પર વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .જોડે શાળાની ડિજિટલ વેબસાઈટનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.