
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
દાહોદથી ગલીયાકોટ આંતરરાજ્ય બસ વારંવાર ખોટકાતા મુસાફરોને ભારે હાલાકી…
દાહોદ તા.29
દાહોદ ડેપો ની દાહોદ થી ગલીયાકોટ વાયા ઝાલોદ ફતેપુરા આનંદપુરી થઈને ગલીયાકોટ જતી આંતરરાષ્ટ્રીય બસ વારંવાર બગડી જવાથી મુસાફરોને હેરાન પરેશાનો સામનો કરવો પડે છે દાહોદ થી સવારે સાત વાગે ઉપડીને ગલીયાકોટ જતી બસ આજ રોજ સવારના દાહોદ બ્રિજ પર બ્રિજ પર એસટી બસ ચડતા ગેર ફસાઈ જતા દાહોદ બીજના ઢાળ પર ઉભી રહી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા ડ્રાઇવર દાહોદ એસટી ડેપો પર જઈ ને મેકેનિક ને બોલાવીને ગેર રીપેરીંગ કામ કરાવી એસટી બસ ગલીયાકોટ જવા માટે રવાના થઈ હતી આંતરરાષ્ટ્રીય ચાલતી આ બસ સારી કન્ડિશનમાં આપવામાં આવે તેવી આ વિસ્તારના મુસાફરોની લાગણી અને માંગણી કરવામાં આવી છે.