ફતેપુરાના છાલોર ગામે “નલ સે જળ”યોજનાનો શુભારંભ:ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા 300 જેટલા ઘરોમા નળ શે જળ યોજનાનો શુભારંભ કરાવ્યો

Editor Dahod Live
1 Min Read

 વિનોદ પ્રજાપતિ :-  ફતેપુરા 

ફતેપુરાના છાલોર ગામે નલ સે જળ યોજનાનો શુભારંભ:ધારાસભ્ય રમેશભાઈ કટારા 300 જેટલા ઘરોમા નળ શે જળ યોજનાનો શુભારંભ કરાવ્યો

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકાના છાલોર ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વાસ્મો યોજના દ્વારા નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો આ યોજનાનો લાભ ૩૦૦ જેટલા ઘરોને પોતાના ઘરના આંગણે નળથી પાણી મળતું થઈ ગયું હતું તે પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શંકરભાઇ આમલીયાર ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સીટના ઇન્ચાર્જ ભાવેશભાઇ પટેલ તેમજ ગામના સરપંચ હસ્તે શુભઆરંભ કરવામાં આવ્યો હતો આ યોજનાથી ૩૦૦ જેટલા ઘરોને આજથી નળથી પાણી મળતું થઇ જતાં ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો.

Share This Article