Saturday, 20/04/2024
Dark Mode

દાહોદમાં હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતો કુખ્યાત દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં ટ્રિપલ મર્ડર સહીત ચાર હત્યાને અંજામ આપતાં ખળભળાટ: મધ્યપ્રદેશ પોલીસની 30 હજારના ઈનામની જાહેરાત, બે સાગરીતોને ઝડપી પાડયા,

દાહોદમાં હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતો કુખ્યાત દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં ટ્રિપલ મર્ડર સહીત ચાર હત્યાને અંજામ આપતાં ખળભળાટ: મધ્યપ્રદેશ પોલીસની 30 હજારના ઈનામની જાહેરાત, બે સાગરીતોને ઝડપી પાડયા,

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ મધ્યપ્રદેશના ત્રિપલ મર્ડરના ગુનામાં પણ આરોપી હત્યાના ગુનામાં આરોપી દિલીપ દેવળને ઝડપી પાડવા મધ્યપ્રદેશ પોલીસની 30 હજારના ઈનામની જાહેરાત
,મધ્યપ્રદેશ પોલીસે દિલીપના બે સાગરીતોને ઝડપી પાડયા,

દાહોદ તા.02

દાહોદ જિલ્લાના ખરેડી ગામે ડુંગરી ફળિયામાં રહેતો અને દાહોદમાં એક વેપારીને વર્ષાે પહેલાં ગોળી મારી મોતને ઘાટ ઉતારનાર દિલીપ ભાવસિંગભાઈ દેવળ ને જે તે સમયે દાહોદ જિલ્લા પોલીસે આ મર્ડર કેસમાં ઝડપી પાડી કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને બે વર્ષ અગાઉ આ આરોપી પેરોલ પર છુંટી ફરાર થઈ ગયો.
ચોંકાવનારી ઘટના એ સામે આવી છે કે, આ કુખ્યાત આરોપી છેલ્લા બે વર્ષાેથી મધ્યપ્રદેશના રતલામ મુકામે ભાડાના મકાનમાં રહેતો હતો અને આ દરમ્યાન પણ પોતાની ગુન્હાહીત પ્રવૃતિ ન છોડી ન હતી અને ગત. તા.૨૫મી નવેમ્બરના રોજ રતલામમાં રહેતા એક જ પરિવારના ૩ સદસ્યોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી તેના સાગરીતો સાથે ફરાર થઈ ગયા બાદ મધ્યપ્રદેશ પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટ આરંભ કરતાં સામે આ સનસનાટી ભર્યાે ખુલાસો થતાં કે, દિલીપ દેવળ તથા તેના સાગરીતો દ્વારા રતલામમાં આ પરિવારના ૩ સદસ્યોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી ઘરમાં લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બાદ એક્શનમાં આવેલ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા આ

ગુન્હામાં સંડોવાયેલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા અને અને હજુ પણ ખુંખાર એવો દિલીપ દેવળ ફરાર હોવાથી મધ્યપ્રદેશ સરકાર સહિત મધ્યપ્રદેશની જનતામાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ ખુંખાર દિલીપ દેવળની જે કોઈને પણ માહિતી મળે અને તે માહિતી પોલીસને આપશે તો તેને રૂા.૩૦ હજારનું મધ્યપ્રદેશ સરકાર દ્વાર ઈનામ પણ જાહેર કરવામાં આવેલ છે. અત્રે વધુ જાણવા મળ્યા અનુસાર, આ દિલીપ દેવળ દ્વારા અત્યાર સુધી કુલ ૬ હત્યાઓને અંજામ આપી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના રતલામમાં આ ખુની ખેલના પગલે તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા પોલીસ સુધી પણ આવતાં દાહોદ જિલ્લા પોલીસ પણ આ દિલીપ દેવળને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના રતલમા ખાતે તારીખ ૨૫,૨૬.૧૧.૨૦૨૦ની રાત્રીના સમયે રતલામમાં રાજીવ નગરમાં રહેતા ગોવિંદભાઈ બગદીરામ સોલંકી, શારદાબાઈ તથા ગોવિંદભાઈની પુત્રી દિવ્યા પોતાના મકાનમાં રહેતા હતા. ગોવિંદભાઈ સલુનનો વ્યવસાય કરતાં હોય અને આ દિવસે મધ્યપ્રદેશમાં દેવ દિવાળી (દેવ ઉઠી અગીયાર) હોય અને ઘરમાં સાંજના સમયે શારદાબાઈ અને પુત્રી દિવ્યા એકલા હતા અને ગોવિંદભાઈ પોતાની સલુનની દુકાને હતા. આ દરમ્યાન સાંજના સમયે દિલીપ દેવળ, અનુરાગ ઉર્ફે બોબી પ્રવિણસિંહ પરમાર (રહે.રતલામ, મધ્યપ્રદેશ), ગોલુ ઉર્ફે ગૌરવ રાજેશ વિલવાળ (રહે.રતલામ, મધ્યપ્રદેશ) અને લાલા મનુ ભાભોલ ભીલ (રહે.જેસાવાડા,તા.ગરબાડા,જિ.દાહોદ) આ ચારેય જણાએ ઘરમાં લુંટને અંજામ આપવા માટે બંદુકો સાથે ગોવિંદભાઈના ઘરમાં ઘુસી ગયા હતા અને તે સમયે શારદાબાઈ ટીવી જાેતા હતા અને આજ સમયે દિલીપે બંદુકમાંથી ગોળી મારી શારદાબાઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આ જાેઈ પુત્રી દિવ્યા બહાર આવતા તેને પણ સ્થળ પરજ ગોળી મારી દઈ હત્યા કરી દીધી હતી. ઘરમાંથી આ ચારેય આરોપીઓએ રોકડા રૂપીયા, જ્વેલરી વિગેરે લઈ ઘરમાંથી બહાર નીકળતાં હતા કે, તે સમયે ગોવિંદભાઈ દુકાનેથી ઘરે આવ્યા હતા અને ઘરની સીઢીયો ચઢતાં હતા. આ જાેઈ ઘરમાં સંતાઈ રહેલા ઉપરોક્ત આરોપીઓએ ગોવિંદભાઈને આવતો જાેઈ લેતાં અને જેવા ગોવિંદભાઈ ઘરમાં આવતાંની સાથે જ તેઓને પણ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આમ, આ ત્રણ હત્યાને અંજામ આપી આ તમામ આરોપીઓ દિવ્યાબેનની સ્કુટી લઈ ફરાર થઈ ગયા હતા. આ હત્યાકાંડના દિવસે દેવદિવાળી હોઈ ફટાકડા અને આતશબાજીનો અવાજ આવતો હોવાના કારણે આસપડોશમાં માલુમ ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે પણ આ આરોપીઓએ આ દેવદિવાળીનો દિવસ નક્કી કર્યા જાણવા મળે છે.

આ સમગ્ર ઘટનાની જાણ રતલામ પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જાેતા ત્રણેયના મૃતદેહનો લોહીથી લથબથ હાલતમાં ઘરમાં પડ્યા હતા. તાત્કાલિક પોલીસે રતલામમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી હતી. હાઈવે, ચેકપોસ્ટ વિગેરેના સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરતાં તેમાં જણાઈ આવ્યું હતુ કે, દિવ્યાબેનની સ્કુટી લઈ કેટલાક ઈસમો જાેવા મળ્યા હતા જ્યારે અને બીજા સીસીટીવી કેમેરામાં આ દિવ્યાબેનની સ્કુટી કોઈક સ્થળ પર લાવારીશ છોડી બીજા વાહન મારફતે આરોપીઓ કપડા બદલી ફરાર થઈ ગયા હોવાનું પણ પોલીસને માલુમ પડતાં પોલીસે તમામ સ્થળો પર નાકાબંધી કરી સઘન તપાસનો ધમધમાટ આજદિન સુધી આરંભ કરી દીધો હતો.

ત્યારે ગતરોજ આ હત્યાકાંડમાં સંડોવાયેલ અનુરાગ, ગોલુ ને લાલા એમ ત્રણેયની ધરપકડ મધ્યપ્રદેશની રતલામ પોલીસે કરી લેતાં પોલીસે સઘન પુરછપરછનો ધમધમાટ આરંભ કરતાં પકડાયેલ આરોપીઓ કબુલ્યું હતુ કે, આ હત્યાકાંડ પાછળ મુખ્ય માસ્ટર માઈન્ડ દિલીપ દેવળ છે.
મળતી માહિતી પ્રમાણે આ દિલીપ દેવળ ગોવિંદભાઈના સુલન પર કટીંગ પણ કરવા આવતો હતો અને તેની સાથે મિત્રતતા બાંધી લોકડાઉનના સમયગાળામાં ગોવિંદભાઈના ઘરે પણ કટીંગ કરવા આવતો જતો હતો. આ દરમ્યાન દિલીપ દેવળે ઘરનો મુવાવજાે કરી લીધો હતો અને ગોવિંદભાઈના ઘરમાં લુંટને અંજામ આપવાનું નક્કી કરી લીધું હતું. દિલીપ દેવળ લુંટને અંજામ આપતાં પહેલા વિસ્તારની રેકી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ દિલીપ દેવળ દ્વારા લુંટ માટે એવું સ્થળ પસંદ કરે છે ત્યારે મહિલાઓ એકલી હોય જેથી તે મહિલાઓને બાનમાં લઈ લુંટને આસાનીથી અંજામ આપી શકે. આ વિસ્તારમાં દિલીપ દેવળ નામ બદલીને રહેતો હતો. પોતાના આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ પણ ડુબ્લીકેટ બનાવી બેઠો હતો અને આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો તે જગ્યાએ મકાન માલિક પણ ખોટા નામથી દસ્તાવેજ કર્યા હતા. આ દિલીપ દેવળ રતલામમાં અને તે જે ભાડાના મકાનમાં રહેતો હતો તે જગ્યાઓ પર હિમાંશુ સોલકી અને અનુપમ શર્મા નામથી ઓળખાતો હતો.
આવો જ એક કિસ્સો રતલામમાં તારીખ ૧૮.૦૬.૨૦૨૦ના રોજ બનવા પામી હતી જેમાં પણ પ્રેમકુંવર નામક વ્યક્તિના ઘરમાં ઘુસી કોઈકે ગોળી મારી તેની હત્યા કરી લુંટને અંજામ આપ્યો હોવાની પણ રતલામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં પણ દિલીપ દેવળનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે અને તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે.
પોલીસે ઉપરોક્ત ત્રણ આરોપી પૈકી વધુ બે આરોપીઓની પણ આ કેસમાં ધરપકડ કરી છે જેમાં (૧) સુનીત ઉર્ફે સુમિત જીતેન્દ્રસિંહ ચૌહાણ (રહે. રતલામ, મધ્યપ્રદેશ) અને (૨) હિમ્મતસિંહ રૂપસિંહ દેવળ પટેલીયા (રહે. ખરેડી, ડુંગરી ફળિયા,તા.જિ.દાહોદ) ની પણ અટક કરી છે.
આમ, મધ્યપ્રદેશ પોલીસે આ કેસોમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ દિલીપ દેવળની પણ ધરપકડના ચક્રોગતિમાન કરી દીધા છે અને મધ્યપ્રદેશના તમામ પોલીસ સ્ટેશનોમાં આ દિલીપ દેવળને પકડી પાડવા નાકાબંધી સહિતની કામગીરી આરંભ કરી દીધી છે. આ સાથે જ દાહોદ જિલ્લા પોલીસને પણ સાવચેત રહેવા તેમજ દિલીપ દેવળને પકડી પાડવા માટે જાણ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાનો આ ખુંખાર આરોપી એવા દિલીપ દેવળે મધ્યપ્રદેશમાં આ હત્યાકાંડને અંજામ આપ્યાની ખબરો સાથે દાહોદ જિલ્લાની પોલીસ પણ સતર્ક રહી તપાસનો ધમધમાટ આરંભ કરી ચુકી છે.

——————————-

error: Content is protected !!