ઝાલોદની આંગણવાડીઓમાં ચાલતી લોલમલોલ એ નવી વાત તો નથી જ પરંતુ, આ આંગણવાડીમાં ખોટા બિલો રજૂ કરી અને બિલની રકમનો વહીવટ બારોબાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે.ત્યારે આ અંગે તપાસ કરવામાં આવશે કે ભીનું સંકેલાસે તે જોવાનું રહ્યું.
આંગણવાડીમાં ચાલતી લોલમલોલને લઇ ને ઘડાયો છે. જેમાં બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહાર આપ્યા વીના જ તેનાં ખોટા બિલો રજૂ કરી અને બારોબાર નાણાં સગેવગે કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.જે પેટે આંગણવાડીની મુખ્ય સેવિકાઓથી માંડીને કચેરી ના ક્લાર્ક પણ સંડોવાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેમની પાસે થી એક આંગણવાડી પેટે ૨૫૦૦ જેટલા રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનું કહેવાય છે. તો આ માસ ના બીલો માં તો ૨૦ ટકા જેટલી રકમ પણ આંગણવાડી વર્કરો પાસે થી ઉઘરાવવામાં આવી હતી.ઝાલોદ તાલુકામાં ચાલતી કુલ ૫૪૭ જેટલી આંગણવાડીમાં આ રીત નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે. આ અંગે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ચર્ચા થઈ હતી, ત્યારે આ અંગે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.