ફતેપુરા નગરમાં આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્ર દ્વારા કડકરીતે કાર્યવાહીના પરિણામસ્વરૂપ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ ઉપર અંકુશ આવ્યો છે. ત્યારે આજરોજ ફતેપુરા નગરમાં કોરોનાથી સાવચેતી રાખવા માટે ફતેપુરા નગરમાં મામલતદાર પી.એન.પરમાર,તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આંમલીયાર,આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી ફતેપુરા નગરમાં અચાનક ચેકિંગ કરતા માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો.
અચાનક તપાસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.તો કેટલીક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ વગર તો કેટલીક જગ્યાએ માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. તેવા વેપારીઓ પાસે સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.કેટલાક વેપારીઓએ ફટાફટ પોતાના મોઢા પર માસ્ક બાંધી દીધા હતા.તો કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.ત્યારે સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી. ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પર કાબુ મેળવેલ છે.ત્યારે ફરી કોરોનાથી કોઈ અસરગ્રસ્ત ન થાય તે માટે સરકારના નિયમોનો ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.