ફતેપુરાના વડવાસ ગામે પ્રાચીન નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનુ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરાના વડવાસ ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનુ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું,વર્ષો જૂનું શિવ મંદીર જર્જરિત હાલતમાં હતું

ફતેપુરા તા.30

ફતેપુરા નગરથી બે કિલોમીટર દૂર વર્ષો જુનું પ્રાચિન નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું હતું.વર્ષો જુનું પ્રાચિન ઢભથી બનાવેલ શિવ મંદિર જર્જરિત થઇ જતા ફતેપુરા નગરના આગેવાનો દ્વારા મંદિરનું જીર્ણોદ્ધાર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ફતેપુરા નગરની વલઈ નદીના કિનારે આવેલો અતિ પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધારનું કામ શરૂ થતાં ફતેપુરા નગરના તથા આજુબાજુના ધાર્મિક ભક્તોને ફરવા માટે તેમ જ દર્શન કરવા રમણીય સ્થળ હોવાથી જીર્ણોદ્ધારની તાતી જરૂર હતી.તેને ધ્યાનમાં રાખી ફતેપુરા નગરના શરદભાઈ ઉપાધ્યાય ભાવેશભાઈ પટેલ હેમંતભાઈ પ્રજાપતિ કપિલભાઈ નાહાર રાજુભાઇ શાહ સંજયભાઈ શાહ તેને ધ્યાનમાં જતા જીર્ણોદ્ધારનું કામ ઝડપભેર શરૂ કર્યું હતું

Share This Article