દાહોદ શહેરની સાથે રાજસ્થાનથી અડીને આવેલા ઝાલોદ તાલુકામાં કોરોના સંક્રમણ વધુ વકરવા પામ્યો છે. ઝાલોદ તાલુકામાં અગાઉ કોરોનાના 104 કેસો નોંધાયા હતા. જેમાં આજરોજ વધુ 6 કેસોના ઉમેરા સાથે કોરોનાના કુલ કેસોનો આંકડો 108 પર પહોંચ્યો છે.જેમાં 16 રિકવર થયા છે.46 દર્દીઓ આઇસોલેશનમાં છે.તેમજ હાલ 51એક્ટિવ કેસો કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે ત્રણના મોત નિપજ્યા છે.
લીમખેડામાં એક જ પરિવારના 9 લોકો સંક્રમિત આવતા પંથકમાં ફફડાટ ફેલાયો
લીમખેડા તાલુકામાં આજરોજ એક જ પરિવારના 9 લોકો કોરોના સંક્રમિત આવતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આજરોજ કોરોના સંક્રમિત આવેલા 27 દર્દીઓમાં લીમખેડા નગરના ઝાલોદ રોડના રહેવાસી પ્રકાશભાઈ અમૃતલાલ લખારા સહીત તેમના પરિવારના 9 વ્યક્તિઓ કોરોના સંક્રમિત આવતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે આરોગ્ય વિભાગે તે વિસ્તારને કાન્ટાઈનમેંટ ઝોન જાહેર કરી તેમના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતની કામગીરી પરજૉશમાં શરુ કરી દીધી છે. અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.