Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદના રાજકારણમાં ખળભળાટ..કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામુ:ભાજપમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા પરંતુ ધારાસભ્યની ચૂંટણી નહીં લડે.

November 9, 2022
        3234
ઝાલોદના રાજકારણમાં ખળભળાટ..કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામુ:ભાજપમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા પરંતુ ધારાસભ્યની ચૂંટણી નહીં લડે.

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક../દક્ષેશ ચૌહાણ :-ઝાલોદ

ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા પરંતુ ધારાસભ્ય ની ચૂંટણી નહીં લડે

ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ભાવેશભાઈ કટારા એ આજરોજ વિધાનસભા અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે

વિધાનસભા અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે

દાહોદ/ઝાલોદ તા.10

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કરી રહ્યા છે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવેશ કટારા ની ટિકિટ ના મળતા તો રાતે રાત કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા અને 15 થી 20 હજારની લીડ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા ને હાર અપાવી હતી ત્યારબાદ તેઓએ જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની તે વિધાનસભાની તમામ સીટો પર કોંગ્રેસ નો વિજય મેળવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી તેઓની ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તેવી ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં તેઓને ટિકિટ આપવાની વાત કરી તો તેઓ સ્પષ્ટ કોંગ્રેસના જગદીશ ઠાકોરને ના પાડી દીધી હતી તેઓ જગદીશ ઠાકોર ને જણાવ્યું હતું કે ઝાલોદ નજીક પંચમુખી મહામંડલેશ્વર મંદિર નું કામ ચાલે છે જ્યાં સુધી તેની પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી હું ધારાસભ્ય ની ચૂંટણી લડીશ નહી અને લોક સેવા કરતો રહીશ જેથી ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા મિતેશભાઈ ગરાસીયા ને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ ઝાલોદ નો મુદ્દો પેન્ડિંગ થયા હોવાની અંગત સૂત્રમાં જાણકારી મળી છે ભારતીય જનતા પાર્ટીમાં બાબુ કટારા પૂર્વ સાંસદ તથા ભાવેશ કટારા કોંગ્રેસ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે જોડાવાની પૂરેપૂરી ખાતરી અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નકારી શકાય તેમ નથી પરંતુ કોઈ પણ શરત વિના ભારતીય જનતા પાર્ટીમાંથી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે તેવું તેઓ તેઓની અંગત સૂત્રમાંથી માહિતી મળેલ છે એક તરફ મોટા દિગજ નેતાઓ પોતાના પુત્ર પોતાના સગા વહાલા ને ટિકિટ આપવા માટે ચૂંટણી મેદાનને લડાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરે છે પરંતુ આ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માત્ર કાર્યકર્તા તરીકે રહેવાની તૈયારી સાથે ચૂંટણીના લડવાની ફરતે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!