
ઈરફાન મકરાણી : દેવગઢ બારીયા
પ્રાણ ફૂંકવાના પ્રયાસ:દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના,
દેવગઢ બારીયા તા.27
કોંગ્રેસ ના સંગઠન સુજલ અભિયાન અંતર્ગત ગુજરાત ના નવા જીલ્લા-તાલુકા પ્રમુખો ની વરણી હાલમાં જ કરવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઈશ્વર વાખળા દ્વારા તાલુકા ના નવા સંગઠનની જાહેરત કરવામાં આવી છે.જેમાં તાલુકા માં ૨ કાર્યકારી પ્રમુખ,૩ મહામંત્રી,૫ ઉપપ્રમુખ,૧૨ મંત્રી,૫૨ જેટલા કોરોબારી સભ્યો,૯ જેટલા સેલ ના પ્રમુખો તથા ૨૨ જેટલા યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી.આમ આવનારી તાલુકા-જીલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા દેવગઢ બારીઆ કોંગ્રેસ સમિતિ નું ૧૦૫ હોદ્દેદારો વાળું સંગઠન જાહેર કરાતા ચૂંટણી માટે કમરકસી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આવનારી તાલુકા-જિલ્લા પંચાયત ની ચૂંટણી માં દેવગઢ બારીઆ તથા ધાનપુર માં કોંગ્રેસ ના તાલુકા પંચાયત પ્રમુખ બનશે તેવું પૂર્વ પ્રમુખ દીપક ગોસ્વામી એ જણાવ્યું હતું.