
રાજેશ વસાવે :- દાહોદ
*એસ. એસ. સી. અને એચ. એસ. સી. ની પૂરક પરીક્ષાના આયોજન સંબંધે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ*
*પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે મુજબ વ્યવસ્થા કરવા અપાઈ સૂચના*
*દાહોદ જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમ્યાન SSC અને HSC ની પૂરક પરીક્ષા યોજાશે*
દાહોદ તા. ૧૮
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનર S SC/HSC ની જૂન-જુલાઈ-૨૦૨૫ ની પૂરક પરીક્ષાના આયોજન સબંધે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જૂન-જુલાઈ-૨૦૨૫ માં લેવાનાર ધોરણ-૧૦ (S.S.C.) અને ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત ઉમેદવારોની પૂરક પરીક્ષાઓ તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમ્યાન યોજાશે. જેમાં દાહોદ જિલ્લાના SSC અને HSC ના કુલ-૧૫ બિલ્ડીંગો પર પરીક્ષા યોજાશે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દામાએ પરીક્ષા સંબંધિત માહિતી આપતાં જણાવ્યું હતુ કે, દાહોદ જિલ્લામાં ૧૦ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ની પરીક્ષા કુલ ૨ કેન્દ્રો ખાતે તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ ૩ કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં ધોરણ ૧૦ ના ૧૦૮ બ્લોક, ધોરણ ૧૨ ના સા. પ્ર. ના કુલ ૧૫ બ્લોક તેમજ ધોરણ ૧૨ ના વિ. પ્ર. ના કુલ ૩૪ બ્લોક મળીને કુલ ૧૫૭ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠક દરમ્યાન પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા દરમ્યાન કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચે એ માટે એસ. ટી. બસની સુવિધા, જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત પરીક્ષા સમય દરમ્યાન લાઈટ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા તેમજ નીતિ-નિયમોનુસાર કામગીરી કરી પરીક્ષા શાંતિ પૂર્વક યોજાય અને સાથે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ માર્ગદર્શન આપવા સહિત સૂચના આપી હતી.
આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બારીયા સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
***