
મહીસાગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ફરજ બજાવતા સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન હેઠળ 27 કર્મચારીઓનો ત્રણ માસથી પગારથી વંચિત..
મહીસાગર તા. ૨૭
મહીસાગર જિલ્લામાં ખાનપુર લુણાવાડા કડાણા બાલાસિનોર સંતરામપુર આ તમામ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ₹15,000 કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહેલા છે છેલ્લા માર્ચ એપ્રિલ અને મેં ત્રણ માસથી પગાર નથી વંચિત રાખવામાં આવેલા છે અને પગારની ચુકવણી કરવામાં આવેલ નથી આવી કાળજાળ મોંઘવારીમાં 15000માં કરાર આધારિત નોકરી કર્યા પછી પણ તમને ત્રણ ત્રણ માસ સુધી પગાર ચૂકવવામાં આનાકાની થતી હોય છે ગમે ત્યારે કર્મચારી જિલ્લામાં પૂછે તો એક જ જવાબ મળતો હોય છે ગ્રાન્ટના અભાવે તમારા પગાર કરવામાં આવતો નથી પગાર ન થવાના કારણે 27 કર્મચારીઓની ગુજરાત ચલાવવું અઘરું પડતું હોય છે બાળકોની ફી શિક્ષણ ઘર ખર્ચ પેટ્રોલ ખર્ચ આ તમામ ખર્ચાઓને કારણે પરિસ્થિતિ નબળી બંધ થઈ જાય છે વર્ષમાં બે થી ત્રણ વાર અવારનવાર પગાર માટે આવા ધાંધિયા રહેતા હોય છે કરાર આધારિત કર્મચારીનો સમયસર પગાર કરવા આવે તેવી 27 કર્મચારીઓની માંગણી ઉભી થયેલી છે.