
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નવનિર્મિત રેલ કારખાનામાં પીએમ નરેન્દ્ર મોદી સોમવારે લોકોમોટિવ EF-9ક ને દેશને સમર્પિત કરશે
દેશનું પહેલું હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક રેલ એન્જિન સોમવારે પાટા પર દોડશે, માલગાડીઓનું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સંચાલન કરાશે..
દાહોદ તા. 21
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રવાસ ખેડી રહ્યા છે.જેમા તેઓ સોમવારે 26 મે ના રોજ દાહોદ ખાતે એક જંગી જનસભા ને સંબોધન કરશે.સાથે 20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત રેલ કારખાનાનું ઉદ્ઘાટન કરશે. આ રેલ કારખાનામાં તૈયાર થયેલા ભારતના સૌથી શક્તિશાળી પ્રથમ હાઈ સ્પીડ ઇલેક્ટ્રીક એન્જિનને સોમવારે દેશને સમર્પિત કરશે. ત્યારબાદ આ હાઈ સ્પીડ એન્જિન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થી રેલવેના પાટા પર દોડશે. રતલામ મંડળમાં આવતા દાહોદમાં સિમેન્સ દ્વારા તૈયાર કરેલા નવ નિર્મિત રેલ કારખાનામાં 9000 હપ ના સિંગલ લોકોમોટીવ એન્જિનન તૈયાર કરવામાં આવ્યું. છે. આ એન્જિન ને EF-9K નામ આપવામાં આવ્યું છે.અગાઉ આ હાઈસ્પીડ રેલ એન્જીન નું પરીક્ષણ બાદ, તેનું ટ્રાયલ પણ થઈ ગયું છે. હવે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવા શક્તિશાળી એન્જિનની વિશેષતા એ છે કે આ એન્જિન મારફતે 4500 ટન ડબલ સ્ટેક કન્ટેનર માલગાડી ચલાવી શકશે. અત્યારે માલગાડીઓની સરેરાશ ગતિ 60 થી 100 કિમી પ્રતિ કલાક છે. એટલું જ નહીં આ એન્જિનમાં ક્રૂની સુવિધા માટે એર કન્ડીશનીંગ અને ટોઇલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેએ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ હેઠળ સિમેન્સ ઇન્ડિયા સાથે સહયોગ કરીને આ એન્જિનનું ઉત્પાદન કર્યું છે. આ કંપની જર્મનીની છે, જે ૧૧ વર્ષમાં આવા ૧૨૦૦ ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલ કારખાના નું શીલાન્યાસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. 20 એપ્રિલ 2022 ના રોજ દાહોદના ડોકી ખાતે આદિવાસી જન સંમેલનમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન મોદીએ આ રેલવે કારખાનાની આધારશીલા મૂકી હતી. 20000 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રેલ કારખાનું બનાવવા માટે જાન્યુઆરી 2023માં રેલવે અને સિમેન્સ વચ્ચે કરાર થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ 9000 hp ના લોકો માટે એન્જિનને સિમેન્સ ઇન્ડિયા પણ 35 વર્ષ સુધી આ ઇલેક્ટ્રિક એન્જિનોની જાળવણી કરશે, જે ભારતીય રેલ્વેના ચાર ડેપોમાં કરવામાં આવશે. આમાં, પહેલું વિશાખાપટ્ટનમ, બીજું પુણે, ત્રીજું રાયપુર અને ચોથું ખડગપુર ડેપોમાં કરવામાં આવશે જેના પગલે રેલવે ને વધારે આવકની અપેક્ષા છે.ડબલ સ્ટેક કન્ટેનર માલગાડીઓનું પરિવહન ઝડપી બનશે, તેથી ઝડપ વધવાથી રેલ્વેને આવકમાં વધારો થવાની આશા છે. ૨૦૨૪-૨૫માં, રેલવેને માલગાડીઓમાંથી લગભગ ૧૮૮૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે.89 ટકા મેક ઇન ઇન્ડિયા ના કોન્સેપ્ટ થકી તૈયાર થયેલા EF-1K નામના આ ઇલેક્ટ્રિક એન્જિનમાં 89 ટકા સ્થાનિક એટલે કે ભારતમાં બનેલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ૭૦ ટકા માનવબળ એટલે કે કર્મચારીઓ ભારતીય રેલ્વેના છે.