Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં ત્રણ વ્યકતિઓ કાળનો કોળીયો બન્યા,અન્ય એક ઈજાગ્રસ્ત,પરિવારમાં માતમ છવાયો..

December 25, 2021
        907
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં ત્રણ વ્યકતિઓ કાળનો કોળીયો બન્યા,અન્ય એક ઈજાગ્રસ્ત,પરિવારમાં માતમ છવાયો..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા-જુદા બનાવોમાં ત્રણ વ્યકતિઓ કાળનો કોળીયો બન્યા, અન્ય એક ઈજાગ્રસ્ત

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓના પરિવારમાં માતમ છવાયો..

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા ત્રણ જુદા જુદા બનાવોમાં ત્રણના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે એકને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના કરોડીયાપુર્વ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ અને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મિનેશભાઈ કનુભાઈ ડામોર (રહે. ફતેપુરા)ની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મિનેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલના માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર સાથે પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી તેમજ પરિવારમાં પણ આક્રંદનો મોહલ છવાઈ ગયો હતો. આ સંબંધે મૃતક પોલીસ કોન્સટેમ્બલ મીનેશભાઈની પત્નિ રવિનાબેન મિનેશભાઈ ડામોર દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ કલજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી ડિસેમ્બરના રોજ કલજીની સરસવાણી ગામે બારીયા ફળિયામાં રહેતાં રાજેશભાઈ કલસીંગભાઈ ગરાસીયાની ભત્રીજી રીયાબેન (ઉ.વ. ૯) શાળાએથી ભણીને ચાલતી ઘરે આવી રહી હતી તે સમયે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રીયાબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી ઈકો ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી લઈ નાસી જતાં ગંભીર ઈજાગ્રસ્ત રીયાબેનને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રીયાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. આ સંબંધે રાજેશભાઈ કલસીંગભાઈ ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના કતવારા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ એક એક્ટીવા ચાલકે પોતાના કબજાની એક્ટીવા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ મુકેશભાઈ જીમાલાભાઈ ભાભોર (રહે. ખાપરીયા, તા.જિ.દાહોદ) અને તેમની સાથે તેમની પત્નિ સમુડીબેન અને ૦૬ વર્ષીય બાળકી અશુને એક્ટીવા ચાલકે અડેફેટમાં લેતાં ત્રણયે જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મુકેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નિ સમુડીબેન અને ૦૬ વર્ષીય બાળકી અશુબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ખાપરીયા ગામે રહેતાં કિર્તનભાઈ રૂમાલભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!