
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં બનેલા માર્ગ અકસ્માતોના બનાવોમાં 4 ના મોત:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતના બનેલા ત્રણ જુદા જુદા બનાવોમાં ચાર જણાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે એક ઈજાગ્રસ્તને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના વટેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ દાહોદ તાલુકાના નઢેલાવ ગામે પટેલ ફળિયામાં રહેતાં દિનેશભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં દિનેશભાઈ અને તેમની સાથે મોટરસાઈકલની પાછળ બેઠેલ લીલાબેન બંન્ને મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે બંન્નેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન દિનેશભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે નઢેલાવ ગામે પટેલ ફળિયામાં રહેતાં શનુભાઈ નારસીંગભાઈ મંડોડે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી નવેમ્બરના રોજ લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે લબાના ફળિયામાં રહેતાં યોગેશકુમાર મુકેશભાઈ લબાનાએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ બાબુભાઈ ઉદેસીંગભાઈ લબાનાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન બાબુભાઈનું મોત નીપજતાં આ સંબંધે બાંડીબાર ગામે લબાના ફળિયામાં રહેતાં સુરેન્દ્રકુમાર ઉદેસીંગભાઈ લબાનાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના રામપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ એક કન્ટેઈનર ટ્રકના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાં મોટરસાઈકલ લઈ રસ્તાની સાઈડમાં ઉભેલા દાહોદ તાલુકાના જેકોટ ગામે રહેતાં વજેસીંગભાઈ તથા શાંતીલાલભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં બંન્નેના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે કન્ટેઈનર ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રક લઈ નાસી જતાં આ સંબંધે દાહોદ તાલુકાના જેકોટ ગામે રહેતાં રાયસીંગભાઈ દીપસીંગભાઈ ચૌહાણે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————