
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યતા હેઠળ વેપારી એસોશીએશનની બેઠક યોજાઇ
મતદાન કરનાર દાહોદ વાસીઓને વેપારીઑ દ્વારા ૫ થી ૧૦ ટકા ખાસ ડિસ્કાઉન્ટ અપાશે
દાહોદ જિલ્લાના વિવિધ એસોસિએશનની પહેલ, ૭ મે ના રોજ વોટ કરશો તો ખરીદીમાં મળશે ડિસ્કાઉન્ટ
દાહોદ તા. ૨૬
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ૧૯-દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી ૭ મે ના રોજ યોજાનાર લોકસભા ચુંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું.
વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને વોટિંગ બાદ જ્યા સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદારોને પ્રોત્સાહન આપવા દાહોદના વેપારી એસોસિએશન દ્વારા મત આપનાર તમામ લોકોને દુકાનો ખાતે ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મીઠાઈ ફરસાણની દુકાનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લા વાસીઓને ૭ મે ના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીસુશ્રી હેતલ વસૈયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ. એ. બારિયા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦