Sunday, 01/06/2025
Dark Mode

ઝાલોદના છાયણ ગામે પિયરમા મહેમાનગતિએ આવેલી 27 વર્ષિય પરણિતાનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ

April 25, 2024
        531
ઝાલોદના છાયણ ગામે પિયરમા મહેમાનગતિએ આવેલી 27 વર્ષિય પરણિતાનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ

ઝાલોદના છાયણ ગામે પિયરમા મહેમાનગતિએ આવેલી 27 વર્ષિય પરણિતાનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ

દાહોદ તા.25

ઝાલોદ તાલુકાના છાયણ ગામે પોતાના પિયરમાં મહેમાનગતિ માણવા આવેલ 27 વર્ષીય યુવતીનું વાસણ ગોઠવતી વખતે ઘરના ઈલેક્ટ્રીક વાયરથી વિજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર, ઝાલોદ તાલુકાના છાયણ ગામના મહેશભાઈ તેરસિંગભાઈ સંગાડાની દાહોદ તાલુકાના ચોસાલા ગામે ડોબાખોલ ફળિયામાં રહેતા જેસલભાઈ બાબુભાઈ ભાભોર સાથે પરણાવેલ દિકરી 27 વર્ષિય જયાબેન હાલ ઉનાળુ વેકેશન પડ્યું હોવાને કારણે વેકેશનમાં મહેમાનગતિ માણવા છાયણ ગામે પોતાના પિયરમાં આવી હતી.

 

ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે જમી પરવારીને વાસણો સાફ કરી મનિષાબેન સાથે ઘરના અંદરના ભાગે આવેલ કોઠામાં લાકડાના પાટીયા ઉપર વાસણો ગોઠવી રહી હતી. તે વેળાએ લાકડાના પાટિયા નજીકથી પસાર થઈ રહેલ ઘરનો ઈલેક્ટ્રીક વાયર થોડો ખુલ્લો રહી ગયો હોવાથી જયાબેનનો હાથ તે ખુલ્લા વાયરને અડી જતા જયાબેનને સખત વીજ કરંટ લાગતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. આ સંબંધે મરણ જનાર જયાબેનના માતા રમીલાબેન મહેશભાઈ સંગાડાએ ચાકલીયા પોલીસ સ્ટેશને જાણ કરતા આ સંદર્ભે ચાકલિયા પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!