
પીપલોદ ગામે રેલવે બ્રિજમાં દસ દિવસથી અડધા પુલની લાઈટો બંધ હાલતમાં..
દાહોદ તા. ૨૫
પિપલોદ ગામે હમણાં થોડા સમય પહેલા રેલવે ફાટક પર નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે આ બ્રિજ બનાવીને તૈયાર થઈ ગયા પછી થોડાક સમય આ પુલ પરની બધી લાઇટો ચાલુ હાલતમાં હતી પરંતુ દસ દિવસથી આ પુલની રણધીપુર તરફથી પુલ પર ચડતા ની સાથે લાઇટો બંધ હોય તે આગળ પીપલોદ તરફ ઉતરતા આ લાઈટો ચાલુ હાલતમાં હોય તો પછી જે રણધીપુર થી ચડતા ની સાથે ની પુલ પર ની લાઈટો બંધ હાલતમાં હોય તો તે ચાલુ કરવામાં નહીં આવતા પુલ પર એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જે આ અડધા પુલની લાઈટો બંધ અને અડધા પુલની લાઇટો ચાલુ હાલતમાં હોય તો તેમના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અડધા પુલને જે લાઈટો બંધ હાલતમાં હોય તેને ચાલુ કરવામાં આવે તો આ પુલ પરથી આવતા જતા વાહન ચાલકો તથા પુલ પર ચાલતા રાહદારીઓને એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે જ્યારે આ પુલ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તો પુલનું બરોબર ધ્યાન રાખવામાં આવે અને લાઈટો પણ વ્યવસ્થિત ચાલુ રાખવામાં આવે તો આ રૂપિયા ખર્ચેલા પાણીમાં જાય તેમ નથી માટે જે પીપલોદ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો તેના અડધા પુલોની લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.