Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા નગર મા રામનવમી અને ઈદ ને લઇ પોલીસ અને નાગરિકોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

April 10, 2024
        4287
ફતેપુરા નગર મા રામનવમી અને ઈદ ને લઇ પોલીસ અને નાગરિકોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા નગર મા રામનવમી અને ઈદ ને લઇ પોલીસ અને નાગરિકોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા સહયોગ તથા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી

સુખસર,તા.10

ફતેપુરા નગર મા રામનવમી અને ઈદ ને લઇ પોલીસ અને નાગરિકોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

        ફતેપુરા શહેરમાં આગામી તા. 17 મી એપ્રિલે યોજાનારી ભગવાન શ્રી રામજીની 38 મી રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે તે માટે ફતેપુરા પોલીસ અને શહેરનાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તથા પર્વ ની શાંતિપૂર્વક રીતે ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પરંપરા મુજબ ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફતેપુરા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી. એસ. આઈ જે.બી.તડવી તથા આયોજક હિન્દૂ આગેવાનો તેમજ ફતેપુરા નગરના મુસ્લિમ આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતાં.

        આ બેઠક મા ફતેપુરા નગરમાં રામ નવમીની રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે નીકળે તેમજ કાયદો એન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌનો સહયોગ મળી રહે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને હિન્દુ મુસ્લિમ સમાજે પોત પોતાના ધાર્મિક તહેવારમાં ભાઈ ચારાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા સંપૂર્ણ પણે સહયોગ આપવાની બાહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!