ફતેપુરા તાલુકાના પાટી ગામે એકલ વિદ્યાલયના આચાર્યનો માસિક અભ્યાસ વર્ગ યોજાયો

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના પાટી ગામે એકલ વિદ્યાલયના આચાર્યનો માસિક અભ્યાસ વર્ગ યોજાયો

 સુખસર,તા.10

 ફતેપુરા તાલુકાના પાટી ગામે એકલ વિદ્યાલયના આચાર્ય ભાઈ- બહેનોનો માસિક અભ્યાસ વર્ગ તારીખ 10/3/2024રવિવારના રોજ 9:30 કલાકથી 5:00 કલાક દરમિયાન યોજવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકાના જુદા-જુદા ગામડાઓમાં 90 જેટલા એકલ વિદ્યાલય કેન્દ્ર ચાલી રહ્યા છે.જેમાં મોટાનટવા સંચ કેન્દ્રમાં આવતા 30 ગામોમાં આચાર્ય ભાઈ- બહેનો બાળકોને શિક્ષણની સાથે-સાથે સંસ્કાર,વડીલોનો આદર કરવો,સન્માન કરવું જેવી બાબતોનુ માર્ગદર્શન આપવામાં આવે છે.સાથે-સાથે શિક્ષણ,આરોગ્ય,પોષણ અને ગ્રામો ઉત્થાન જેવા કાર્યો પણ કરી રહ્યા છે. આ અભ્યાસ વર્ગમાં સવારથી સાંજ સુધી અલગ અલગ સત્ર લેવામાં આવ્યા હતા.જેમાં લાલાભાઇ મહિડા, શંકરભાઈ કટારા અને સરદારસિંહ મછાર ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

Share This Article