સુખસર પ્રખંડ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું આયોજન કરાયું

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી સુખસર 

સુખસર પ્રખંડ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું આયોજન કરાયું

શ્રદ્ધાળુ ભક્તોએઝાલોદ તાલુકાના જાનમારીયા થી સુખસર સુધીની કાવડ યાત્રા કાઢી સુખસરેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો.

 

( પ્રતિનિધિ ). સુખસર,તા.13

 

          શનિવારના રોજ સુખસર પ્રખંડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઝાલોદ તાલુકાના ગરાડુ પાસે આવેલા જાનમારીયા મહાદેવ મંદિરેથી કાવડ યાત્રા ઘાટાવાડા,કાળીયા,નાના- મોટા બોરીદા થઈ સુખસર નગરમાં પહોચી આખા સુખસર નગરમાં કાવડ યાત્રા સરઘસ રૂપે ફરી સુખસરેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી આ કાવડયાત્રાનો લાભ લીધો હતો. અંદાજિત 210 જેટલી કાવડ સાથે આજુબાજુ વિસ્તારના ગામડાઓના હિંદુ ભાઈઓ,બાળકો કાવડ લઈ ને કાવળયાત્રામાં જોડાયા હતા.રસ્તામાં આદિજાતિ સમાજના તથા અન્ય સમાજ દ્વારા ચા-નાસ્તા અને પાણીની તથા અન્ય સેવા ઉભી કરવામાં આવી હતી.કાવડ યાત્રામાં જોડાનાર તથા સેવા કાર્યમાં જોડાનાર અને ચા-પાણી, પ્રસાદ,નાસ્તા તથા આર્થિક રીતે સહયોગની વ્યવસ્થા કરનાર દરેક મિત્રોનો સુખસર પ્રખંડ કાવડ યાત્રા સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Share This Article