ફતેપુરા તાલુકા બાર વકીલ મંડળની શોશ્યલ ડિસટન્સ વચ્ચે મિટિંગ યોજાઈ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોર્ટના વકીલ મંડળને આજરોજ વકીલ મંડળના પ્રમુખ શરદભાઈ ઉપાધ્યાય ને અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી જેમાં વકીલ ચંદ્રસિંહ પારગી પ્યારેલાલ કલાલ શબ્બીર ભાઈ સુનેલવાલા રાઠોડ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વકીલમિત્રો હાજર રહ્યા હતા મળેલ વકીલ મંડળની મીટીંગ માં સોશિયલ ડિસ્ટન્સ નુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ વકીલ ઓય માસ્ક પહેરેલા હતા વકીલ મંડળની મિટિંગમાં ફતેપુરા ખાતે નવી કોટ બિલ્ડીગતૈયાર થઈ ગયેલ હોય જે બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ને તૈયારી બાબતે ચર્ચા-વિચાર ના કરવામાં આવેલ હતી હાલમાં કોરોના વાયરસ ની ગંભીર મહામારી હોય સરકારશ્રીના આદેશ મુજબ અને કાયદા મુજબ ઉદ્ઘાટન કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી હાલમાં વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહેલ છે તેમાં કોર્ટ કાર્યવાહી શરૂ થાય તો સોશિય લ ડિસ્ટન્સ જાળવી ને કોર્ટની કાર્યવાહી કઈ રીતે કરવામાં આવે તો આવનાર પક્ષકારો સહિત તમામને સગવડ રહે તે બાબતને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.