ગરબાડા સરકારી વિનય કોલેજના અધ્યાપક ડોક્ટર ભરત ખેની ને દિલ્હી ખાતે યુવા પુરસ્કાર એનાયત કરાયો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા સરકારી વિનય કોલેજના અધ્યાપક ડોક્ટર ભરત ખેની ને દિલ્હી ખાતે યુવા પુરસ્કાર એનાયત કરાયો..

તારીખ : 27 ડિસેમ્બર 

સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા વર્ષ – ૨૦૨૨નો ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર સરકારી વિનયન કોલેજ, ગરબાડાના ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડૉ. ભરત ખેનીને પ્રાપ્ત થયો. સાહિત્ય અકાદમી દિલ્હીના અઘ્યક્ષ ડૉ.ચંદ્રશેખર કંબારની અઘ્યક્ષતામાં મળેલ બેઠકમાં ડૉ. ભરત ખેનીને તેમના ‘ રાજા રવિવર્મા ‘ ચરિત્ર લેખન માટે આ યુવા પુરસ્કાર એનાયત થયો હતો.યુવા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ૨૭/૧૨/૨૦૨૨ના રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં તામ્રપત્ર તથા ૫૦,૦૦૦/- રોકડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ.ભરત ખેનીએ આ સર્જન ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાતા ગરબાડા જેવા અંતરિયાળ ક્ષેત્રમાં રહીને કર્યું હતું.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી, તમામ અધ્યાપકો તથા સમસ્ત કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

Share This Article