Friday, 19/04/2024
Dark Mode

ગરબાડાના ભીલોઈમાં લૂંટના ઇરાદે હત્યાથી ચકચાર:પકડાઈ જવાના બીકે હત્યારાનો આત્મહત્યાનો પ્રયાસ:લોકડાઉન દરમિયાન પંથકમાં હત્યાના પાંચ બનાવોથી લોકો ભયભીંત

ગરબાડાના ભીલોઈમાં લૂંટના ઇરાદે હત્યાથી ચકચાર:પકડાઈ જવાના બીકે હત્યારાનો  આત્મહત્યાનો પ્રયાસ:લોકડાઉન દરમિયાન પંથકમાં હત્યાના પાંચ બનાવોથી લોકો ભયભીંત

વિપુલ જોષી  @ ગરબાડા  

ગરબાડા તાલુકાના ભિલોઇ ગામની ઘટના તમાકુ લઇને આવીએ તેમ કહી પાટાડુંગરી ના જંગલ વિસ્તારમાં લઈ જઈ મિત્ર એજ પોતાના મિત્રની હત્યા કરી લૂંટી લીધો, સાત હજાર ઉપરાંતના મુદ્દામાલની લૂંટ મિત્રની હત્યા કરી તેને લૂંટી લઇ પોતે પોલીસથી બચવા માટે ગળેફાંસો ખાવાની કોશિશ કરતા પરિવારજનોએ બચાવી લીધો,લોક ડાઉન બાદ ટૂંકાગાળામાં ગાળામાં ગરબાડા તાલુકામાં એક પછી એક લગ લગાટ હત્યાની પાંચ   ઘટનાઓ બનતા પંથકમાં ભયની સાથે ચકચાર મચી જવા પામ્યો છે

ગરબાડા તા.06

ગરબાડા તાલુકાના ભિલોઇ ગામના એક યુવકે તેનાજ ગામના તેના મિત્રને દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં લઇ જઈ તેના માથાના ભાગે પથ્થરો મારી ઇજા કરી તથા રૂમાલથી ગળે ટુંપો આપી તેની હત્યા કરી તેની પાસેથી રોકડ રકમ સહિત ચાંદીના દાગીનાની લૂંટ કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ બનતા મૃતક યુવકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. આ બનાવ બનતા મૃતક યુવકના પિતાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, તા.૦૫/૦૫/૨૦૨૦ ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના ભિલોઇ ગામના ભુરીયા ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને તમાકુ લઇને આવીએ તેમ કહી ભિલોઇ ગામના ડામોર ફળિયામાં રહેતા નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર તેની મોટરસાયકલ ઉપર બેસાડી દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને માથાના ભાગે પથ્થરો મારી સખત ઇજા કરી તથા રૂમાલથી ગળે ટુંપો આપી તેની હત્યા કરી નરેશભાઈએ પહેરેલ ચાંદીની કંઠી આશરે ૧૦૦ ગ્રામ વજનની જેની આશરે કિંમત ૨૦૦૦ તથા જમણા હાથે કાંડા ઉપર પહેરેલ ચાંદીનુ ભોરીયુ આશરે ૨૫૦ ગ્રામ વજનનુ જેની આશરે કિંમત ૫૦૦૦ તથા રોકડા ૭૦૦ મળી કુલ ૭૭૦૦ ની લૂંટી લીધેલ. મરણ જનાર નરેશભાઈ સાંજ સુધી ઘરે નહીં આવતા નરેશભાઇ પરિવારજનોએ તેની તપાસ કરતા તેમને જાણવા મળેલ કે, નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર તેની મોટરસાયકલ ઉપર નરેશને તમાકુ લઈને આવ્યે તેમ કહી લઇ ગયેલ હતો તેવું જાણવા મળતા નરેશને પિતાએ નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરને આ બાબતે પૂછતાં તેને જણાવેલ કે નરેશ મારી મોટર સાયકલ ઉપર થોડે સુધી આવેલ અને પછી ઉતરી ગયેલ તેવું જણાવી કહેલ કે તમે મારા બાપા સાથે વાત કરો મારા ઘરે ચાલો તેમ કહેતાં નરેશને પરિવારજનો નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરના ઘરે આવેલ તે વખતે નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર પાણી લઈને આવું તેમ કહી પોતે કરેલ હત્યાથી બચવા માટે ઘરમાં જઇ માળા ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાવા લાગતા નાનાભાઈ બૂમાબૂમ કરતા તેને પકડીને નીચે ઉતારી 108 મારફતે દાહોદ દવાખાને લઈ ગયેલ. નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરને નરેશ વિશે પૂછતાં તે ઘરમાં ગળે ફાંસો ખાતો હોવાથી નરેશને પરિવારજનોને શંકા જતા ગરબાડા પોલીસને આ બાબતે જાણ કરી પોલીસ સાથે પાટાડુંગરીના જંગલમાં તપાસ કરતા દેવધા ગામની સીમમાંથી લોહીથી લથપથ નરેશની લાશ મળી આવી હતી.
આ બનાવ બાબતે મૃતકના પિતા ભટુભાઈ દિતિયાભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ભિલોઇ ગામના નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે આ હત્યા સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!