Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ:છ માસ પૂર્વે ચોરીના આરોપમાં પકડાયેલા કાચા કામના કેદીએ સબજેલના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

ઝાલોદ:છ માસ પૂર્વે ચોરીના આરોપમાં પકડાયેલા કાચા કામના કેદીએ સબજેલના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

  • ચોરીના આરોપના કેદીનો ઝાલોદની સબ જેલ માં આપઘાત
  • આત્મહત્યા કરનાર ચોરીનો આરોપી છ મહિના પૂર્વે ઝાલોદની ગામડી ચોકડી પર ચોરી કરવા જતાં પકડાયો હતો

ઝાલોદ તા.31

ઝાલોદની સબજેલમાં સોમવાર ની રાતે 2 વાગ્યા ના સુમારે ચોરીના આરોપીએ ગળે ફાંસો ખાઈ  આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.  ઝાલોદના ગામડી ચોકડી નજીકના મકાનમાં ગત તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ભરાયા હતા.આ અંગેની જાણ રહીશોને થતાં રહીશો એ એક ચોરને ઝડપી અને પોલીસને હવાલે કર્યો હતો તો અન્ય બે શખસોને ભાગી છૂટવામાં સફળતા મળી હતી.

 આ પકડાયેલો શખ્સ ચિત્રોડિયા ગામનો ૩૦ વર્ષીય કાળું ઉર્ફે ઉમેશ મોહન કટારા હોવાની ઓલખ છતી થઇ હતી.

 આ ઉમેશ છેલ્લા છ માસથી ઝાલોદની સબજેલ માં હતો.ત્યારે આજે મંગળવારના રોજ વહેલા ૨ વાગ્યાની આસપાસ સબજેલની બેરેકના બાથરૂમ માં ઉમેશએ રૂમાલ વડે લટકી જઈ  ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે અંગે વહેલી સવારે ૪ વાગ્યે સબજેલના કેદીને ખબર પડતાં જ સબજેલના સ્ટાફ ને જાણ કરવામાં આવતા. તેને તાત્કાલિક ઝાલોદ ના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હોવાનું ઝાલોદ સરકારી દવાખાને બહાર આવ્યું હતું. આ ઘટના ને લઈને પંથક માં ચકચાર મચી હતી. તો તેના પેનલ પોસ્ટ મોર્ટમ માટે લાશને દાહોદ ખાતે લઇ જવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 છેલ્લા છ માસ થી સબજેલમાં જ હોય, ઉમેશ દ્વારા વિવિધ કોર્ટમાં જમીન માટે ની અરજીઓ કરી હોવા છતાં જામીન મળ્યા ન હતા. અને આ વાત થી ઉમેશ નાસીપાસ થઈ ગયો હતો.અને આથી જ આ પગલું ભર્યું હોવાનું હાલ સબ જેલ વર્તુળ દ્વારા કહેવામાં રહ્યું છે ત્યારે આ અંગે વધુ તપાસ થી બહાર આવી શકે તેમ છે.

error: Content is protected !!