Tuesday, 19/03/2024
Dark Mode

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ… 

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ… 

દાહોદ લાઈવ ડેસ્ક…..

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ

અમદાવાદ,તા.૩૦

રાજ્યનાં ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂને લઈને પણ મોટો ર્નિણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં ૪ મહાનગરોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કફ્ર્યૂ યથાવત્‌ રાખવામાં આવ્યો છે. હવે રાતના ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત્‌ રહેશે, સાથે જ લગ્ન પ્રસંગ માટે ૧૦૦ વ્યક્તિની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. જેથી હવે જાહેરમાં લગ્ન પ્રસંગમાં ૧૦૦ને બદલે ૨૦૦ વ્યક્તિને છૂટ આપવામાં આવી છે. કોરોના કહેરને કારણે લગ્ન સમારંભની સંખ્યા ઘટી ગઈ છે, જેને ધ્યાનમાં લઈને સરકારે મહેમાનોની સંખ્યા વધારવાનો ર્નિણય લીધો છે. હવે ૨૦૦ લોકો લગ્નમાં હાજરી આપી શકશે, પરંતુ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જેમાં ફરજિયાત માસ્ક, સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે. જાે નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં તો રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોની સક્રિય અને સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે.
રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૩.૯૪ ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે, જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. હવેથી હોલ–હોટલ-બેન્ક્‌વેટ હોલ–ઓડિટોરિયમ-કમ્યુનિટી હોલ-ટાઉન હોલ-જ્ઞાતિની વાડી જેવાં બંધ સ્થળોએ સામાજિક – ધાર્મિક-મનોરંજન કે અન્ય સમારોહ-કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના ૫૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે, સાથે જ પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા-સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-હેન્ડ સેનિટાઇઝર સહિતની ર્જીંઁનું ચુસ્ત પાલન કરવું પડશે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-૧૯ સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ ૨૭જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન ૧લી ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.
ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ ર્નિણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે કહ્યું હતું કે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી ર્જીંઁનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્યનાં ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કફ્ર્યૂનો અમલ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-૧૯ અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાનાં તમામ પગલાં લેવાનાં રહેશે. નેશનલ ડાયરેક્ટિવ્ઝ ફોર કોવિંડ-૧૯ મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.

error: Content is protected !!