ફતેપુરા ખાતે સુશાસન દિવસ અને ખેડૂત સંમેલન યોજાયું:ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સાધન સહાય વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

ખેડૂતો પકવેલું અનાજ દેશના ગમે તે ખૂણામાં જઈને વેચી શકશે:ધારાસભ્ય રમેશ કટારા,ફતેપુરા ખાતે સુશાસન દિવસ અને ખેડૂત સંમેલન યોજાયું,ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સાધન સહાય વિતરણ કરાયું.

 સુખસર. તા.25
ફતેપુરા  માર્કેટયાર્ડ ખાતે સુશાસન દિવસ અને ખેડૂત સંમેલન કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે લાભાર્થીઓ કીટ વિતરણ કરાઈ હતી ધારાસભ્ય એ ખેડૂતોને વિવિધ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
ફતેપુરા તાલુકા કક્ષાનો સુશાસન દિવસ ની ઉજવણી અને ખેડૂત સન્માન કાર્યક્રમ ફતેપુરા એપીએમસી ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ચેરમેન પ્રફુલભાઈ ડામોર ભાજપના કાર્યકર્તા રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શહીદ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન નો પ્રવચન બાયોસેક મારફતે સંભળાવવામાં આવ્યું હતું ત્યારબાદ ખેડૂતોને વિવિધ યોજનાની કીટ તેમજ પ્રોત્સાહક ઈનામની રકમ ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભાર્થીઓને સાધન સહાય પણ વિતરણ કરાઇ હતી ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે ખેડૂત પકવેલું અનાજ દેશના ગમે તે ખૂણામાં જઈને વેચી શકશે અને તેના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે ટેકાના ભાવે વધુ ભાવો મળશે ખેતી દરમિયાન નુકસાન થાય તો વીમા કવચ પણ ખેડૂતોને મળી રહ્યું છે તેમજ અન્ય  માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Share This Article